રાજકોટ નજીકના બેડી ગામી હડમતિયા જવાના રસ્તા પર ફાટક પછી વાડીવાળા પીરની દરગાહ પાસે સરકારી ખરાબામાં ધમધમતી ભીસ્તીવાડના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકાની ઘોડીપાસાની ક્લબ પર એલસીબી ઝોન-૧ના સ્ટાફે દરોડો પાડી ૮ શખસોને ઝડપી લીધા હતા. આ ૮ શખસોમાંી ૭ શખસો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાી ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાની કલમ પણ પોલીસે લગાડી હતી. જેને કારણે જુગારના કેસમાં પ્રમ વખત આઠેય આરોપીઓને કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
ભારતીય દંડ સંહિતાના આ નવા કાયદા હેઠળની કલમ અંતર્ગત જુગારનો સંભવત પ્રમ ગુનો રાજકોટમાં નોંધાયો હોય આ બાબતે ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ સમૃદ્ધિ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે એકી વધુ ગુના ધરાવનાર બે વ્યક્તિઓ ફરી એ જ પ્રકારના ગુના આચરતા સો પકડાય ત્યારે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવે છે જે અંતર્ગત આ જુગારના કેસમાં જુનો નોંધાયો છે. જ્યારે ગંભીર પ્રકારના ગુનામાં સંગઠિત ક્રાઈમ હોવાનું ફલિત ાય તો ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૧ મુજબ ગુનો નોંધાશે. જુગાર ક્લબના આ પ્રકરણમાં પોલીસે નવા કાયદા હેઠળ ગુનો નોંધતા આગામી સમયમાં જુગારીઓએ જુગાર કોના સો રમવા બેસે છે તે બાબતે સજાગ રહેવું પડશે અન્યા પોલીસ સ્ટેશની જામીનના બદલે જેલહવાલે વાનો વારો આવશે.
એલસીબી ઝોન-૧ના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ બી.વી. બોરીસાગરે ગુરૂવારે સાંજે આ ઘોડીપાસાની ક્લબ પર દરોડો પાડતાં નાસભાગ મચી હતી. જે દરમિયાન ભગવતીપરાનો જુમ્મો ઠેબાપોત્રા, અનિલ વેલજી ચૌહાણ અને ભગવતીપરાનો જ જાવેદ ઉર્ફે પાઇદુ હુશેન કુરેશી ભાગી જવામાં સફળ તાં આ ત્રણેયને વોન્ટેડ દર્શાવી પોલીસે શોધખોળ શરૂ કરી છે.સ્ળ પરી ક્લબ સંચાલક એજાઝ ઉર્ફે ટકો (ઉ.વ.૪૪, રહે. ભીસ્તીવાડ), હાજી ઇસ્માઇલ જુણેજા (ઉ.વ.૪૨, રહે. ખોડીયારપરા શેરી નં.૫, ૮૦ ફૂટ રોડ), સદ્દામ ઉર્ફે ઇમુ હુશેનભાઈ શેખ (ઉ.વ.૩૨, રહે. ભગવતીપરા, સુખસાગર હોલની પાછળ), યુસુફ ઉર્ફે બકરો હબીબ ઠેબા (ઉ.વ.૪૮, રહે. મોચીનગર-૨, શેરી નં.૨, શીતલપાર્ક), મહેબુબ અલ્લારખા અજમેરી (ઉ.વ.૪૨, રહે. મેરામબાપાની વાડી શેરી નં. ૩), ઇમ્તીયાઝ ઉર્ફે ઠુઠો અલ્લારખા (ઉ.વ.૩૦, રહે. રૂખડીયાપરા શેરી નં.૨), પરેશ રમેશભાઈ ઝાલા (ઉ.વ.૩૦, રહે. વીરમાયા સોસાયટી શેરી નં.૨, મોટી ટાંકી ચોક) અને તુષાર રમેશભાઈ લીડિયા (ઉ.વ.૪૩, રહે. વૈશાલીનગર-૩ મફતીયાપરા, રૈયા રોડ) ઝડપાઇ ગયા હતા.
પટ્ટમાં અને આરોપીઓ પાસેી એલસીબીના સ્ટાફે રૂા. ૨૫,૮૦૦ રોકડા, ૯ મોબાઈલ ફોન અને ૭ ટુ વ્હીલર મળી કુલ રૂા. ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આઠ આરોપીમાંી સાત ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.જેને કારણે એલસીબીના સ્ટાફે જુગારધારાની કલમ ૧૨ સો નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૨ (૨) પણ લગાડી હતી. જે કલમ વારંવાર સંગઠિત ગુના કરે તેના વિરૂધ્ધ લગાડવામાં આવે છે. આ કલમને કારણે પોલીસ આરોપીઓને જામીન પર છોડી શકતી ની. જેને કારણે એલસીબીના સ્ટાફે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
આ બાબતે યોજોલી પત્રકાર પરિષદમાં ડી.સી.પી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે પહેલી જુલાઈી લાગુ યેલા ભારતીય દંડ સંહિતાના નવા કાયદામાં એવી જોગવાઈ છે કે, જ્યારે કોઈ સંગઠિત અપરાધ કરતા હોય અને તેની સામે એકી વધુ ગુના હોય તેમાં નાના પ્રકારના ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૨ મુજબ ગુનો નોંધાશે. જેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે જ્યારે ગંભીર પ્રકારના સંગઠિત અપરાધમાં ૧૧૧ મુજબ ગુનો નોંધાશે જેમાં આજીવન કેદની સજા સુધીની જોગવાઈ છે.
અગાઉ જુગારમાં પોલીસ સ્ટેશની જામીન ઉપર આરોપીઓને છોડી દેવાતા હતા પરંતુ નવા કાયદાની નવી જોગવાઈ મુજબ હવે જામીન કોર્ટમાંી શે. ત્યારે આ કેસમાં આરોપીઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય જેી તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે.ડીસીપીએ એવું પણ જણાવ્યું હતું કે, માત્ર જુગાર જ નહીં શટ્ટો, દારૂ, મારામારી સહિતના તમામ પ્રકારના ગુનામાં આ નવી જોગવાઈઓ લાગુ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech