ગુજરાતમાંથી આ 5 સાંસદને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, લીધા મંત્રી તરીકેના શપથ

  • June 09, 2024 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાંથી કેટલાક સાંસદોને મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી અમિત શાહ અને એસ. જયશંકર, જે.પી.નડ્ડા.મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલને સ્થાન મોદી 3.0 મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.


આ ઉપરાંત ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત શાહ, સી.આર. પાટીલ વડાપ્રધાનના નિવાસ સ્થાને હાજર રહ્યાં છે. સી.આર.પાટીલ ગુજરાતની નવસારી બેઠકથી સૌથી વધુ લીડ સાથે જીત્યા હતા.

નવસારી લોકસભાના બેઠકના સાંસદ સી.આર.પાટીલ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે. જ્યારે મનસુખ માંડવિયા પણ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે. આ તરફ નિમુબેન બાંભણિયા પ્રથમ વખત સાંસદ બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application