ઉમેદવાર બદલવાની કોઈ વાત નથી, દિલ્હીથી મને કોઈએ બોલાવ્યો નથી: પુરુષોત્તમ રૂપાલા

  • April 01, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને ભાજપના ઉમેદવાર પુષોત્તમ પાલા સામે ક્ષત્રિય સમાજ દ્રારા ઉઠેલા વિરોધ પછી ઉમેદવાર બદલવામાં આવી રહ્યા છે તેવી વાતો આજે સવારથી ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયામાં પણ તેના મેસેજ જંગલમાં દવ લાગ્યો હોય તેવી ઝડપે ફેલાઈ ગયા હતા. બાદમાં આ મામલે ભાજપના ઉમેદવાર પુષોત્તમ પાલા એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવી કોઈ વાત નથી.

૧૫૦ ફટ રીંગ રોડ પર રૈયા સર્કલ નજીક આવેલા લોકસભાની ચૂંટણીના ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલા એ જણાવ્યું હતું કે મને આવી કોઈ સૂચના મળી નથી. ઉમેદવારોની પસંદગી કરવાનો અને તેની ટિકિટ રદ કરવાનો અધિકાર ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડને છે. મને પાર્લામેન્ટ્રી બોર્ડ તરફથી આવી કોઈ સૂચના મળી નથી. મને દિલ્હી આવી જવા માટે પણ કોઈએ કહ્યું નથી.

વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાએ નો ડુ સર્ટિફિકેટ મેળવવા માટે પ્રક્રિયા શ કરી હોવાની બાબત પત્રકારોએ પાલાના ધ્યાન પર મુકતા તેમણે જણાવ્યું હતું કે જયારે મને ટિકિટ આપવામાં આવી તે દિવસથી જ મોહનભાઈ કુંડારીયા મારા ડમી ઉમેદવાર રહેશે તે વાત નક્કી થઈ ગઈ હતી. આમાં કશું નવું નથી.

ક્ષત્રિય સમાજે તમારી ટિકિટ રદ કરવાની માગણી કરી છે તે બાબતે તમાં શું કહેવું છે? તેવા સવાલના જવાબમાં પાલાએ જણાવ્યું હતું કે કોઈપણ સમાજને આવો અધિકાર છે. પરંતુ આ જે તે સમાજ અને પક્ષ વચ્ચેનો પ્રશ્ન છે. આમાં મારે કશું કહેવું નથી.
મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે આજે જુદા જુદા મોરચા અને સેલના હોદ્દેદારોની મિટિંગ હતી. તેના કારણે ભારે ભીડ જોવા મળી હતી.
આ વાતને આગળ ધરી અને કુંડારિયાના નો ડુ સર્ટિફિકેટના મુદ્દાને ધ્યાનમાં રાખી પાલાની ટિકિટ રદ કરવામાં આવી હોવાના સમાચાર બપોર સુધી ચાલુ રહ્યા હતા. બપોરે ભાજપ તરફથી સ્પષ્ટ્રતા કરાતા આ પ્રકરણ ટાઢું પડી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application