કુંભારવાડામાં ગૌશાળાની દીવાલો તોડી પડાઈ

  • December 09, 2023 05:02 PM 

મહાનગર પાલિકા દ્વારા સપ્તાહના પ્રારંભ સાથેજ કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં દબાણ અને ગંદકી હટાવ મહાઅભિયાન હાથ ધરાયું હતું. જેમાં તંત્રએ મોતીતળાવથી રેલ્વે ફાટક સુધીના વિસ્તારના દબાણોનો સંપૂર્ણપણે સફાયો કર્યો હતો. જ્યારે આજે કુંભારવાડા મોક્ષમંદિર નજીક આવેલી ગૌશાળાની દીવાલો તેમજ તારફેન્સીંગ તોડી પાડી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી આ ઉપરાંત તંત્રએ આજે ઇન્ડિયન ઓઇલ કંપનીનું ટ્રાફિકને અડચણરૂપ મહાકાય બોર્ડ હટાવી માર્ગ મોકળો કર્યો હતો. જ્યારે આ વિસ્તારમાં જામેલા ગંદકીના થર તેમજ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજે મ્યુ. ની દબાણ હટાવની ટીમો દ્વારા કુંભારવાડાના દબાણોનો સફાયો કરાયા બાદ કાફલો બંદર રોડ પર ત્રાટક્યો હતો જ્યાં જાહેર માર્ગ પર ખડકી દેવાયેલા બાંધકામો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application