હળવદમાં એક ફિલ્મી ઘટના સામે આવી છે. જેમાં ચાર ભેજાબાજ ઈસમોએ માળિયા હળવદ હાઇવે પર લૂંટ ચલાવી હતી. જેમાં બે કારમાં સવાર પાંચ આરોપીએ હળવદ નજીક મોરબી ચોકડી પાસેના પેટ્રોલપંપ પાસે એક ટ્રક ચાલકને માર મારી ધઉ ભરેલુ આખે આખું કન્ટેનર લૂંટી લીધું હતું.જો કે લૂંટારાઓ ના દુર્ભાગ્ય હોય અને ટ્રક ચાલક અને ટ્રક માલિકના સદભાગ્ય જોર કરતા હોય તેમ તેમ ઘટનાસ્થળથી થોડે દુર જ ગાડીનું ટાયર ફાટી જતા કન્ટેનર બેકાબુ બન્યું હતું. અને પલ્ટી ગયું હતું. જેના કારણે બે લૂંટારુઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મળતી વિગત અનુસાર, હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે ગત રાત્રીના સમયે પાંચ લૂંટારુઓએ અગાઉથી પ્લાન બનાવી મનસુરો પાર પાડવા માટે હળવદના સુખપર ગામેથી ઘઉં ભરેલું કન્ટેનર લઈને વાંકાનેર ખાલી કરવા જઈ રહેલા કન્ટેનરના ચાલકને બે કારમાં આવેલ પાંચ શખ્સોએ રોકી પાંચેય ઈસમોએ ટ્રકના ચાલકને ઢોર માર માર્યો હતો. અને બાદમાં બે શખ્સો કન્ટેનર લઈ ફરાર થયા હતા. જો કે, લૂંટારુંઓના લૂંટના બદ ઈરાદા ઉપર કુદરતે પાણી ફેરવી દીધું હતું અને લૂંટારુંઓ ટ્રક લઈને ફરાર થવામાં સફળ થઇ શક્યા ન હતા. ઘઉં ભરેલ ટ્રકના અધવચ્ચે જ બે ટાયર ફાટી જતા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. જેથી કન્ટેનરમાં સવાર બંને શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે બે શખ્સો કાર લઈને ભાગી છૂટ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત શખ્સોને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે કન્ટેનરમાં રહેલા બે સહીત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. અને કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજ સિંહ ઝાલા(રહે. મૂળી), વિરલ શૈલેષભાઈ સોની (રહે.મૂળી) તેમજ એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech