રાણાવાવ થી અમરદડ તરફ જતા રસ્તાને તાત્કાલિક ધોરણે ચાલુ કરાવાયો

  • September 19, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસે ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા અન્વયે સતત જિલ્લા માં કાર્યક્રમો કરવામાં આવેલ છે. તે કાર્યક્રમો જોઈ રાણાવાવમાંથી યુવા બોર્ડ નગર સંયોજક રામદેભાઈ ઓડેદરાને એક રસ્તો બિસ્માર છે અને આ રસ્તો ૩૦૦ જેટલા લોકોનો કાયમી રસ્તો છે. જેમાં મોટરસાયકલ કે ફોરવિલ જેવા વાહનો નીકળી શકતા નથી તેવી રજુઆત મળતા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) નું ધ્યાન દોરતા રમેશભાઈ ઓડેદરા દ્વારા તાત્કાલિક સરકારી વહીવટી તંત્રને રજુઆત કરી તાત્કાલિક રાણાવાવ નગરપાલિકાનું જે.સી.બી. મંગાવી આ રસ્તા માં વધુ વરસાદ ના કારણે મોટા પથરો ઝાડ જેવા નડતર‚પ મટીરીયલ ને દૂર કરી રસ્તા ને લેવલ કરી ત્રણ કલાકમાં લોકો માટે ખુલ્લો મુકાયો હતો, લોકો ના હિત માં તાત્કાલિક નિર્ણય થી લોકો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા નો આભાર વ્યક્ત કરાયો હતો, આ કામમાં સ્થળ પર રામદેભાઈ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application