ગુજરાત રાજયમાં કાયદો, વ્યવસ્થા, સુરક્ષા વધુ સુદ્રઢ અને સંગીન બને તે માટે રાય સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવાવા જઈ રહ્યો છે. આજે વિધાનસભામાં રાયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી હતી કે, હવે રાયમાં પીએસઆઈના પોસ્ટિંગવાળા પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરવામાં આવશે. ચાલુ વર્ષે આવા ૨૦૦ પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને ત્યાં પીઆઈના પોસ્ટિંગ કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં એક–એક આઈટી નિષ્ણાતની પણ નિમણૂક કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે.
તાજેતરમાં જ રાયના રજૂ થયેલા બજેટમાં ગૃહ વિભાગમાં નાણા ફાળવણી અને ગ્રામ્ય સુરક્ષા વધુ સારી થઈ શકે તે માટે ગ્રામ લેવલની ચોકીઓ (આઉટ પોસ્ટ)માં જમાદાર કે એએસઆઈના બદલે પીએસઆઈના પોસ્ટિંગ કરાશેનું જાહેર થયું હતું. રાયના અત્યારે ચાલી રહેલા વિધાનસભા સત્રમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ડિપાર્ટમેન્ટને લગતી એક જાહેરાત કરી હતી જેમાં રાય સ્તરે પોલીસ સ્ટેશનોમાં ફેરફાર થશે. અત્યારે જે પોલીસ સ્ટેશનોમાં પીએસઆઈ કક્ષાની પોસ્ટ છે આવા પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરીને ત્યાં પીઆઈ કક્ષાના કરવામાં આવશે. હાલ તુરતં યાં જનસંખ્યા વધુ છે. ક્રાઈમ રેસિયો વધુ હશે એવા ૨૦૦ પોલીસ સ્ટેશનો પ્રારંભિક તબક્કે સિલેકટ કરાશે અને આ તમામ પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવશે. અત્યાર સુધી જયાં પીએસઆઈ કક્ષાના અધિકારીથી ચાલતા આવા પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઈન્સ્પેકટરની નિમણૂક કરાશે. ગૃહમંત્રીએ આથી વિશેે જાહેરાત કરતા વિધાનસભામાં જણાવ્યું હતું કે અત્યારે જે રીતે સાઈબર ક્રાઈમનો ગ્રાફ આગળ ધપી રહ્યો છે તેને અટકાવવા માટે પણ સરકાર કટિબધ્ધ છે અને પોલીસ સ્ટેશનોમાં એક–એક આઈટી એકસપર્ટની પણ નિમણુૂક કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરના ધ્રાફા ગામે અવર જવર કરવા માટે વૈકલ્પિક વાહન વ્યવહારનો રૂટ જાહેર કરાયો
July 06, 2024 03:38 PMગુજરાતમાં કરોડપતિ ચોર ઝડપાયો,મુંબઈમાં 1 કરોડની કિંમતનો ફ્લેટ, ઓડી કાર...
July 06, 2024 03:32 PMરાજકોટ ઝનાનામાં નર્સીંગ સ્ટુડન્ટની બેદરકારીએ નવજાતનો જીવ લીધા
July 06, 2024 03:30 PMદેશમાં દર ત્રીજો વ્યક્તિ આ ગંભીર બીમારીનો શિકાર, જો તમારામાં પણ આવા લક્ષણો છે તો સાવધાન
July 06, 2024 03:28 PMકુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સેનાનો એક જવાન શહીદ
July 06, 2024 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech