રાજકોટની ઝનાના હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગમાં સારવારમાં રહેલા પાંચ મહિનાના બાળકને નર્સીંગ સ્ટુડન્ટએ નેબેલાઇઝર (નાસ લેવાનું મશીન)માં આપવાની દવા ઇન્જેક્સનમાં ભરી બાળકને વેનમાંથી આપી દેતા બાળકની હાલત ગંભીર બનતા વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું. જેનું આજે સવારે મોત નિપજતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.
મૂળ બિહારનો પરિવાર ગોંડલમાં કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને બાળકને ન્યુમોનિયા સહિતની બીમારીના કારણે ઝનાના હોસ્પિટલમાં એક મહિનાથી દાખલ કરવામાં આવ્યો હતો. બાળક સ્વસ્થ બની ડિસ્ચાર્જ થવાની તૈયારીમાં હતું ત્યાં હોસ્પિટલમાં અભ્યાસ માટે આવતા આનંદ ઇન્સ્ટિટ્યૂટ કોલજેના નર્સીંગ સ્ટુડન્ટની બેદરકારીનો ભોગ બન્યું હતું. પુત્રના મોતથી પરિવાર રોષે ભરાયો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારના અને હાલ ગોંડલના જામવાડી નજીક રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા બીરેન્દ્ર કુશવાહાનો સાડા પાંચ મહિનાના પુત્ર રાજની એકાદ મહિના પહેલા તબીયત બગડતા પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગના દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં બાળકને ન્યુમોનિયા, અને ટીબીની અસર હોવાનું નિદાન થતા દાખલ કરી એક મહિનાની લાંબી સારવાર દરમિયાન બાળક સ્વસ્થ બન્યું હતું. નવજાત હોવાથી તેના માતા સોનાબેન આઇસીયુ વોર્ડમાં સાથે રહેતા હતા. બાળકને કફ જેવું હોવાથી કેટલાક દિવસથી નેબેલાઇઝર મશીનમાં દવા નાખી નાશ આપવામાં આવતો હતો. ગઈકાલે વોર્ડમાં અભ્યાસ માટે આવતા નર્સીંગ સ્ટુડન્ટને ફરજ પરના નર્સીંગ સ્ટાફે બાળકને નેબેલાઇઝરની દવા નાખી નાસ આપવાનું કહ્યું હતું.
જે એક સામાન્ય બાબત છે પરંતુ શીખતાં નર્સિંગ સ્ટુડન્ટએ નેબેલાઇઝરમાં દવા નાખવાની બદલે ૫૦ એમએલના ઇન્જેક્સનમાંથી દવા ભરી બાળકને આઈવી મારફતે આપી દેતા બાળકને સીધી જ અસર થઇ હતી અને બાળકની તબિયત ખરાબ થતા તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડાવમાં આવ્યું હતું. પરંતુ પાંચ મહિનાનું બાદ આજે સવારે આંખ મીંચી લેતા પરિવારમાં કલ્પાંત સાથે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech