ધ્રોલમાં દર્શનાર્થે ગયેલા વેપારીનો મોબાઇલ ફોન ચોરાયોં

  • December 09, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમાં ખારવા રોડ પર આવેલા રામરોટી આશ્રમમાં દર્શનાર્થે ગયેલા સોની  વેપારી નો મોબાઇલ ફોન ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
ધ્રોલમાં રામવાડી વિસ્તારમાં રહેતા અને સોની કામની દુકાન ધરાવતા ધવલભાઇ શાંતિલાલ આડેસરા નામના વેપારી ગત ૬ તારીખે ખારવા રોડ પર આવેલા રામરોટી આશ્રમમાં દર્શનાર્થે ગયા હતા, અને પોતાના એકટીવાના આગળના ખુલ્લા બોકસમાં મોબાઈલ ફોન રાખ્યો હતો. દર્શન કરીને પરત આવતા મોબાઇલ જોવા મળ્યો ન હતો.
જ્યાંથી કોઈ તસ્કરો એ રૂપિયા ૧૮,૪૯૦ ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા હોવાથી ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સી.સી.ટી.વી કેમેરાની મદદથી તસ્કરોને પકડવા માટેની કવાયત  હાથ ધરી  છે.
**
જામનગરમાં ખાનગી હોસ્પિટલના પાર્કિંગમાંથી એકટીવા ગાયબ
જામનગરમાં એસટી ડેપો રોડ પર આવેલા એક ખાનગી હોસ્પિટલના પાર્કિંગમાંથી પાર્ક કરાયેલું એકટીવા સ્કૂટર ચોરી થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતી મનીષાબેન દેવજીભાઈ પરમાર કે જેણે પોતાનું એકટીવા જીજે૧૦સીએ-૬૫૪૧ ગત તા. ૬ના રોજ એસટી ડેપો રોડ પર એક ખાનગી હોસ્પિટલના પાર્કિંગમાં રાખ્યું હતું,  ત્યાંથી કોઈ તસ્કરો એકટીવાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application