રાજસ્થાનમાં કરણી સેનાના અઘ્યક્ષની થયેલી હત્યાના જામનગરમાં પડઘા

  • December 06, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘુસીને કરવામાં આવેલી હત્યાના દેશભરની સાથે જામનગરમાં પણ પડઘા પડ્યા છે અને આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરાઇ છે, જામનગર કરણી સેનાના પ્રમુખ રાજભા ઝાલા સહિતના કરણી સેનાના યુવાનો આજે એકત્ર થયા હતા અને મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે એકઠા થઇને રાજસ્થાનની હત્યાને વખોડી કાઢવામાં આવી હતી તથા જરુર જણાયે ગુજરાત બંધનું એલાન આપવા સુધીની તૈયારી દર્શાવવામાં આવી હતી. જામનગર કરણી સેનાના અઘ્યક્ષે જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે, ગઇકાલે નિર્મમ રીતે દાદા સુખદેવસિંહ ગોગામેડીનું ષડયંત્ર રચીને મર્ડર કરવામાં આવ્યું છે, સંગઠ્ઠન દ્વારા તેમની હત્યાની બાંહેધરી લીધી છે, આ સંગઠ્ઠન આંતરરાષ્ટ્રીય ગેંગ છે, તેના માટે અમે ક્ષત્રિય સંસ્થાની જરુર નથી, દાદા સુખદેવસિંહ ગોગામેડીની હત્યા માટે આખુ ભારતનો રાજપૂત સમાજ સાથે છે, ભવિષ્ય આવી કોઇ ઘટના ન બને તેના માટે સરકાર પાસે બાંહેધરી માંગીએ છે, ભવિષ્યમાં પરિવારને આજીવન નિર્વાહ માટે કોઇપણ જોગવાઇ કરવામાં આવે, ગુનેગારોને કડકમાં કડક સજા થાય, ફાંસી થાય અને આના માટે રાજપૂત સમાજ વતી ભવિષ્યમાં આંદોલન કરવું પડે, રોડ બંધ કરવા પડે એના માટે પણ અમે તૈયાર છીએ. આજે ખાલી રાજસ્થાન બંધ કર્યું છે, જરુર પડ્યે આખું ભારત બંધ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application