દુંદાળા દેવનું સ્થાપન: ભકિતમય માહોલ

  • September 19, 2023 06:01 PM 

આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થી ઉજવાઈ રહી છે ત્યારે શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ પંડાલમાં દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવી છે. ભકિતમય વાતાવરણ તેમજ રાસગરબા સાથે ભકતોએ ગજાનન ગણેશને વધાવ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોને કલાત્મક શણગાર સાથે સજાવવામાં આવ્યા છે ત્યારે સર્વેશ્ર્વર ચોકમાં આબેહુબ બદરીનાથ ધામ બનાવવામાં આવ્યું છે. જયાં ભકતો બદરીનાથધામની અનુભુતી કરી ધન્ય બની રહ્યા છે. આ ઉપરાંત જાગનાથ મંદિરમાં પણ ગણપતિ બાપાને અદભુત શણગાર કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપ દ્રારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી છે. જેનું ભાજપ અગ્રણીઓ દ્રારા રાસગરબા રમી, પૂજન–અર્ચન સાથે ગણપતિ બાપ્પાનું આહવાન કયુ હતું. આગામી ૧૦ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં અન્નકુટ, મહાઆરતી, વિવિધ સ્પર્ધાઓ, સત્યનારાયણ કથા જેવા આયોજનોનો ભકતો લાભ લેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application