મોરબીમાં વૃક્ષ ધરાશાયી થતાં ઉદ્યોગપતિઓએ હટાવ્યું

  • June 16, 2023 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી હોય અને ઠેર ઠેર ભારે પવનને કારણે વૃક્ષ પડવાની ઘટના બની રહી છે જેમાં લીલાપરરોડ પર વૃક્ષ પડી જતા રોડ બ્લોક થતા ઉદ્યોગપતિઓએ રોડ ખુલ્લો કરાવ્યો હતો લીલાપર કેનાલ રોડથી રફાળેશ્વર જતા માર્ગ પર મચ્છુ ડેમ નજીક ભારે પવનમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈને માર્ગ પર પડ્યું હતું જેથીરસ્તો બંધ થવા પામ્યો હતો વાહનચાલકોને વનવે જેવી સ્થિતિમાંથી પસાર થવું પડતું હોય જેથી મોરબી પેપરમિલ એસોના પ્રમુખવિપુલભાઈ કોરડીયા સહિતના ઉદ્યોગપતિઓ જેસીબીની મદદથી વૃક્ષ હટાવવામાં લાગી ગયા હતા અને વૃક્ષને ખસેડી રોડ ખુલ્લોકરાવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application