ખાનગી સ્કૂલની વા.પ્રિન્સિપાલ પર ચારિયની શંકા કરી પતિ સહીત સાસરિયાનો ત્રાસ

  • January 29, 2024 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના પામ યુનિવર્સમાં રહેતા અને એક ખાનગી સ્કૂલમાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા હીનાબેન પરેશભાઇ વ્યાસ (ઉ.વ.૩૮) નામની પરિણીતાએ આલાપ ગ્રીન સીટી પાછળ, કૈલાસધારા પાર્ક– શેરી નં–૩માં રહેતા પતિ પરેશ અરવિંદભાઈ વ્યાસ, સસરા અરવિંદભાઈ અંબાસનભાઈ વ્યાસ, દિયર વિજય અરવિંદભાઈ અને ને મોટા સસરાના પુત્ર સંજય નટવરભાઈ વ્યાસ સામે માનસિક ત્રાસ આપી ધમકી આપતા હોવાની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લ નવેક વર્ષ પહેલા સમાજના રીત–રીવાજે થયા છે અને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે. લ થયા ત્યારે સંયુકત પરીવારમા રહેતી હતી. છેલ્લા ચાર વર્ષથી હત્પ,ં પતિ અને પુત્ર અલગ પામ યુનિવર્સિટીમાં રહીએ છીએ અને એક ખાનગી સ્કુલમા નોકરી કરી પરિવારને મદદપ થાવ છું. છેલ્લા છ વર્ષથી સસરા અરવિંદભાઇ, દીયર વિજયભાઇ તથા મોટા સસરાના દીકરા સંજય ભાઇ માનસિક રીતે હેરાન કરે છે. સંયુકત પરિવારમાં રહેતી ત્યારે સસરા કહેતા કે, તને રસોઇ બનાવતા આવડતી નથી. તમારા બાપના ઘરેથી તમે શુ શીખીને આવ્યા છો? પહેલા ઘરમા ધ્યાન આપો પછી નોકરીએ જાજો તેમ કહી મારા માતા અને મારા ભાઇ વીધ્ધ જેમ ફાવેતેમ બોલતા અને હત્પં નોકરી પરથી આવું ત્યારે મારા ઘરના બધા કામ મારી માટે રાખી મુકતા. અને મારા જેઠ સંજયભાઇ અને સસરા અરવીંદભાઇને હત્પ લ કરીને આવી ત્યારથી ગમતી ન હતી જેથી આ લોકો પતિને કહેતા કે તારી પત્ની વસ્તુ લેવાના બહાને અન્ય પુષને મળવા જાય છે.અને મોબાઇલ પર પણ અન્ય પૂષ સાથે વાતચીત કર્યા રાખે છે તેવી ખોટી વાતો કરીને મારા પતિને ચડાવતા હતા આ લોકોની ચડામણીથી પતિ મારી સાથે બોલાચાલી કરી મને મનફાવે તેવી ગાળો આપી માર મારતા હતા. અને મારા લ સમયે મને મારા સસરાના ઘરથી ચડાવેલ સોનાના દાગીના અને મારા પિયર પક્ષના સોનાના દાગીના પણ મારા સસરાએ લઇ લીધા છે. અને મારા સસરા મને કહેતા કે હવે મારા દીકરા સાથે છુટુ કરી નાખ નહીતર તને જાનથી મારી નાખીશુ તેવી મને ધમકી આપતા હતા.

પરંતુ મારે એક દીકરો હોવાથી હત્પ બધુ મુંગામોઢે સહન કરતી હતી . બાદમા મે મારા પતિને પ્રેમથી સમજાવતા ચારેક વર્ષ પહેલા હત્પ અને મારા પતિ અને મારો દીકરો અલગ પામ યુનિવર્સિટીમાં અમારા પોતાના મકાનમા રહેવા ચાલ્યા ગયા હતા. આ મકાન મારા અને મારા પતિના જોઇન્ટ એકાઉન્ટમાં લોન લીધેલ છે જેના હા હત્પ મારા પગાર માથી ભ છુ અને મારા લ બાદ કાર મારા નામથી લીધી હતી જેના હા પણ હત્પં મારા પગારમાથી ભ છુ. અમે અલગ થયા બાદ મારા પતિ યારે પણ મારા સસરાના ઘરે જતા ત્યારે સસરા અને જેઠ પતિને મારા વીધ્ધ ખોટીચડામણી કરતા હતા જેથી પતિ ઘરે આવી મારા ઉપર ચારીત્ર પર શંકા કરી માનશીક ત્રાસ આપી મને હેરાન–પરેશાન કરી માર મારતા હતા. જેથી હત્પ કંટાળીને છેલ્લા દસેક દીવસથી મારી બહેનપણીના ઘરે રહેવા જતી રહી છું અને મારો દીકરો પતિ પાસે છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી પતિ, સસરા, દિયર અને તેના મોટા સસરાના પુત્ર સામે આઇપીસી કલમ ૩૨૩,૪૯૮(ક), ૫૦૪,૫૦૬(૨), ૧૧૪ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application