વિસ્તારની હદ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે વિસ્તારને લઈ વિવાદ ચાલતો હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ જે તે વિસ્તારમાં વસતા લોકો માટે મોટી મુશ્કેલી ઉભી થતી હોય છે. વિવાદને લઈને ભોગવવાનું લોકોને જ આવતું હોય છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિસ્તારના મુદ્દા અંગે ચાલી રહેલી ખેંચાખેંચમાં સિમરના માંછીમારોને ઘરવિહોણા થવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉનામાં આવેલા સિમર બંદરના માંછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. મુઘલો, અંગ્રેજો અને પોર્ટુગીઝોના સમયથી ઉનાનું સિમર બંદર પોતાનું એક અલગ અસ્તિત્વ ધરાવે છે. સિમર બંદર પર વસેલા ૨૫૦૦થી વધુ માછીમારો માછીમારી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. માછીમારો માટે માછીમારી જ એકમાત્ર આર્થિક ઉપાર્જન માટેનો સ્ત્રોત છે, ત્યારે કેન્દ્ર શાસિત દીવની અમુક જમીન વર્ષોથી સિમર બંદરમાં આવેલી છે. અહિયાં વસવાટ કરતાં લોકો દીવનું નાગરિકત્વ ધરાવતા હતા અને દીવના નાગરિકને મળતી તમામ સુવિધાઓ મેળવવા માટેના હકદાર હતા. ત્યારે અચાનક આ માછીમારોના નામ દીવમાંથી કમી કરી નાખવામાં આવ્યા હતા. દીવમાંથી નામ કરી નાખવાની સાથે જ માત્ર બે દિવસામાં માછીમારો માટે રહેવાની અન્ય વ્યવસ્થા કર્યા વગર માછીમારોના ઘર પર બિલડોઝર ફેરવી નાખવામાં આવ્યા હતા. જેના કારણે માછીમારો બેઘર બની ગયા હતા.
બેઘર થયેલા સિમર બંદરના માછીમારો ગુજરાતનાં સિંચાઈ વિભાગની જમીન પર આશરો લઈ રહ્યા હતા, ત્યારે સિંચાઈ વિભાગે પણ માછીમારોને આ જગ્યા ખાલી કરવા માત્ર બે દિવસનો સમય આપ્યો છે. ત્યારે ૨૫૦૦ થી વધુ લોકો જે પહેલેથી જ બેઘર જેવી સ્થિતિમાં રહે તે લોકો માટે ના ઘરના ના ઘાટના જેવી સ્થિતિ ઊભી થઈ છે. સૌનો સાથ સૌનો વિકાસની સરકારની ગુલાબાંગો વચ્ચે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે માછીમારો માટે રહેઠાણની વ્યવસ્થા કરવાની જવાબદારી અને ફરજ નથી?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech