ભાજપ મહિલા મોરચા દ્વારા પૂતળા દહન કરાયું

  • November 08, 2023 10:37 PM 

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર દ્વારા મહિલાઓ અંગેના બીભત્સ નિવેદનો બદલ ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાએ પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું.


મહિલાઓ માટે પચાસ ટકા અનામત સહિત ઉજવલા કનેક્શન, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પ્રધાન મંત્રી ધન લક્ષ્મી યોજનાઓ જેવી મહિલા સશક્તિકરણ માટેની અગણિત યોજનાઓ અમલમાં મુકનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે નારી શક્તિમાં અખૂટ વિશ્વાસ ધરાવતા હોય છે. ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે મહિલાઓ માટે જે દુરાચારી, અસંસ્કારી અને બીભત્સ ટિપ્પણીઓ કરાતા ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. ભાવનગર શહેરના કાળાનાળા ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નિવેદનના વિરોધમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરાયા હતા. અને મુખ્યમંત્રી નીતીશકુમારના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન માંગુકિયા સહિતના મહિલા મોરચાના બહેનો તેમજ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ મનપાના પદાધિકારીઓ, નગરસેવકો, ભાજપના વરિષ્ટ આગેવાનો અને તમામ સેલ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application