મૃતક માનસિક રીતે અસ્થિર હોવાનું અને માતા સાથે ઝઘડો કરી ઘેરથી નીકળ્યા પછી પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી લીધા નું ખુલ્યું
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં ધ્રુવ ફળી પાસેથી મોડી રાત્રે એક પુરુષ નો અર્ધ બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ થઈ છે, અને મૃતક માનસિક રીતે અસ્થિર હોવાનું અને પોતાનું માતા સાથે ઝઘડો કરી ઘર છોડ્યું હોવાનું અને પોતાની જાતે જ પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી લીધાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેંક પાસે ધ્રુવ ફળી નજીક મોડી રાતે બે વાગ્યે એક અજ્ઞાત પુરુષનો અર્ધ બળેલો મૃતદેહ મળી આવ્યો હતો.
જેથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડતો થયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન મૃતક નું નામ કમલેશ ચંદુભાઈ ટંકારીયા (ઉ.વ. ૫૩) અને દરજી જ્ઞાતિના હોવાનું અને જામનગરમાં માતૃ આશિષ સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસની વધુ તપાસ દરમિયાન મૃતક છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્થિર હોવાનું અને ગઈકાલે સવારે પોતાના વૃદ્ધ માતા સાથે ઝઘડો કરીને હું મરી જવાનો છું, તેમ કહી ઘેરથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે અગાઉ પોતે જ્યાં ધ્રુવ ફળી માં રહેતો હતો, તે સ્થળે જઇ પોતાની કાયા પર પેટ્રોલ છાંટી દીધું હતું અને દિવાસળી ચાંપી આત્મહત્યા કરી લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે.
મૃતક ની માતા સાથે ઝઘડો કરીને ઘેરથી નીકળ્યા પછી મૃતકના પિતા અને ભાઈ કે જેઓ બંનેના અગાઉ મૃત્યુ નીપજ્યા હતા, પરંતુ મૃતક ની બેન રાજકોટમાં રહે છે, જેને માતાએ જાણ કરીને જામનગર બોલાવી લીધી હતી. જેથી તેની બહેન જામનગર આવી ગયા પછી બપોરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ભાઈ કમલેશભાઈ કે જેઓ માંનસીક રીતે અસ્થિર છે, તે ઘરમાંથી આત્મહત્યા કરવાનું કહીને નીકળી ગયાનું જાહેર કર્યું હતું. દરમિયાન મોડી રાત્રે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech