મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપી કોમામાં સરી પડેલા પતિના પત્નીને જ તેમની સંપતિની વાલી બનાવી છે. આ નિર્ણય એટલા માટે આપવામાં આવ્યો કે જેથી તે મિલકત વેચી શકે અને સારવાર કરાવી શકે. કોર્ટે કહ્યું કે કોમામાં જતી રહેલી વ્યકિતની સંભાળ રાખવી સરળ નથી. આવી સ્થિતિમાં પૈસાની જર છે. જેથી મહિલા મિલકત વેચી શકે અથવા ગીરો રાખી શકે. આ સાથે તે વ્યકિતનો મેડિકલ ખર્ચ ઉઠાવવામાં આવશે અને પરિવારનું ભરણપોષણ થશે. જે વ્યકિત કોમામાં છે તેની પાસે ૧ કરોડ પિયાથી વધુની સ્થાવર મિલકત છે. અગાઉ સિંગલ બેન્ચે મહિલાની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ મામલો ડબલ બેન્ચ સુધી પહોંચ્યો હતો
કિસ્સો શું છે
ચેન્નાઈની મહિલાએ જણાવ્યું કે તેનો પતિ છેલ્લા પાંચ મહિનાથી કોમામાં હતો. આવી સ્થિતિમાં, તેમને બેંક ખાતાઓ ચલાવવાની અને સ્થાવર મિલકત ગીરો રાખવા અથવા તેને વેચવાની પણ મંજૂરી આપવી જોઈએ. સિંગલ બેન્ચે કહ્યું કે મહિલાની અરજી વિચારવા લાયક નથી અને આ નિર્ણય યોગ્ય નથી
હાઈકોર્ટનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ
કોમામાં રહેલા પતિના વાલી તરીકે પત્નીની નિમણૂક કરવાનો નિર્ણય ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હકીકતમાં, આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જયારે ઘરનો વાલી બીમાર પડે ત્યારે તેના તબીબી ખર્ચનો કે પરિવારના ભરણપોષણનો પ્રશ્ન ઊભો થાય છે. પરિવારના વડા હોવા છતાં, તેના કાયદેસરના વારસદારો તેની સ્વ–કમાણીવાળી મિલકતનો દાવો પણ કરી શકતા નથી.યારે કોઈ વ્યકિત કોમામાં હોય છે ત્યારે તે ન તો ઈચ્છા કરી શકે છે કે ન તો પોતાના વિચારો વ્યકત કરી શકે છે. હાલનો નિર્ણય આવા લોકોની સારવાર અથવા તેમના પરિવારની સંભાળના મામલામાં સીમાચિ઼પ સાબિત થશે
કોર્ટે શું કહ્યું
હાઈકોર્ટના જસ્ટિસ સ્વામીનાથન અને જસ્ટિસ બાલાજીએ કહ્યું કે કોમામાં જતી કોઈપણ વ્યકિતની સંભાળ રાખવી સરળ નથી. આ માટે પૈસાની જર છે. આ કિસ્સામાં, સમગ્ર બોજ મહિલાના ખભા પર આવી ગયો છે. આ માટે અરજદારને સિવિલ કોર્ટમાં જવાનું કહેવું યોગ્ય નથી. હકીકતો જોતાં મહિલાને રાહત આપવી જરી છે.કોર્ટે મંજૂરી આપી છે કે તે સ્થાવર મિલકત ગીરો રાખી શકે છે અથવા વેચી શકે છે જેથી પરિવારનું ધ્યાન રાખી શકાય અને તેના પતિની સારવારનો ખર્ચ ઉઠાવી શકાય. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રોપર્ટી વેચ્યા પછી ૫૦ લાખ પિયા પતિના નામે એફડી તરીકે રાખવા જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech