વકીલને અવમાનનાની સજામાંથી રાહત આપવા માટે બેંચ રાત્રે બેઠી

  • December 20, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલકત્તા હાઈકોર્ટમાં તિરસ્કારના આરોપ સર એક વકીલની ધરપકડનો આદેશ પર સોમવારે રાત્રે ડિવિઝન બેન્ચે આ આદેશ પર સ્ટે આપ્યો હતો. જસ્ટિસ હરીશ ટંડન અને હિરન્મય ભટ્ટાચાર્યની ખંડપીઠે રાત્રે ૮:૩૦ વાગ્યે સુનાવણી કરતા કહ્યું કે એડવોકેટ પ્રોસેનજીત મુખર્જી કાનૂની વ્યવસાય સાથે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં અપીલકર્તાને વચગાળાનું રક્ષણ મળવું જોઈએ. તેની ધરપકડના આદેશ પર સ્ટે મુકવામાં આવ્યો છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે એડવોકેટને ૩ દિવસની સાદી કેદનો આદેશ આપ્યો હતો.


સોમવારે હાઈકોર્ટમાં જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે વકીલ પ્રોસેનજીતને તિરસ્કારના આરોપમાં જેલમાં મોકલવાની સૂચના આપી હતી. જેના પર બાર એસોસિએશન ગુસ્સે ભરાયું હતું. વકીલોએ જજ પર તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જયાં સુધી તેઓ માફી નહીં માંગે, ત્યાં સુધી તેમની કોર્ટમાં કોઈ વકીલ પગ નહી મુકે આ મામલે બાર એસોશિયેશન ના ચીફ જસ્ટીસ ને એક પત્ર પણ લખ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application