ખંભાળિયામાં વડાપ્રધાનના જન્મદિવસની શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ

  • September 18, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પનોતા પુત્ર તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રવિવારે જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા અંધજન મંડળના સહકારથી અહીંના જલારામ મંદિર ખાતે નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘ આયુષ્ય મળે અને તંદુરસ્તી જળવાય તે માટે દિવ્યાંગજનો દ્વારા રામધુન અને પ્રાર્થના કરવામાં આવી હતી.


અહીં ઉપસ્થીત તમામ નેત્રહીન દિવ્યાંગજનોને મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી તથા અંધજન મંડળના પરસોતમભાઈ નકુમએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. અહીં સ્કૂલની બાળાઓ દ્વારા પણ પોતાના વિચારો રજુ કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ, અનુ. મોરચાના પ્રદેશ મંત્રી બાબુભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમ અને ભરતભાઈ ગોજીયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, શહેર ભાજપ પ્રભારી ગીતાબા જાડેજા અને નિમિષાબેન નકુમ, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, મયુરભાઈ ધોરીયા, વનરાજસિંહ વાઢેર, મહેન્દ્રભાઈ મકવાણા, કિરણભાઈ ગડણ, અશોકભાઈ કાનાણી, યોગેશભાઈ મોટાણી, મોહિતભાઈ મોટાણી, રમેશભાઈ લાલ, મહેન્દ્રભાઈ જોશી, વિનુભાઈ પંચમતિયા, રાણાભાઇ ગઢવી, દિનેશભાઈ પોપટ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ સમગ્ર સફળ કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઈ કણજારીયા અને ટીમના મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકીયા, ભવ્ય ગોકાણી, માનભા જાડેજા, લખુભાઈ ચાવડા, પ્રવીણભાઈ જમજોડ સહિતના કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application