બર્ધનચોકમાં દબાણો દુર કરાવવા મેયર-નેતા ફરીથી દોડયા

  • April 13, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બર્ધનચોક ભરચકક વિસ્તારમાંનો એક છે ત્યારે લોકો ચાલી શકતા નથી અને વેપારીઓ પણ પરેશાન થઇ જાય છે ત્યારે મેયર બિનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીત સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ ગઇકાલે ફરીથી બર્ધનચોક વિસ્તારમાં જઇને દબાણો હટાવવાની કામગીરી શરુ કરાવી હતી ત્યારે થોડો સમય વેપારીઓ સાથે બોલાચાલી પણ થઇ હતી, આખરે આ રસ્તો કોઇની પણ શેહ શરમ રાખ્યા વિના કડક હાથે કામ કરવાની સુચના આપ્યા બાદ પથારાવાળાઓએ ફટાફટ તેમના પથારા ઉપાડી લીધા હતાં, થોડા સમય પહેલા પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી, આગામી દિવસોમાં લોકો સરળતાથી ચાલી શકે અને બર્ધનચોકના દુકાનદારો વેપાર કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જો કે આ કામગીરીમાં મેયર બિનાબેન કોઠારીને સાથ આપવા માટે નેતા સિવાય અન્ય કોર્પોરેટરો કે ભાજપના અગ્રણીઓ જોડાયા ન હતાં. ફરીથી આ પ્રકારની કામગીરી કરાતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે, કેટલાક પથારાવાળા નિરાશ પણ થયા હતાં, પરંતુ એવી વાતો બહાર આવી છે કે, મહાપાલિકા વતી કોઇ રેંકડી-પથારાવાળાઓ પાસેથી ચોકકસ રકમ લેતા હોવાના કારણે અવારનવાર આ દબાણો થઇ જાય છે, હજુ દબાણો દુર કરાયાના એકાદ કલાક બાદ ફરીથી આ દબાણો ફરીથી ગોઠવાઇ ગયા હતાં. આમ હવે મેયરની ઝુંબેશ કયાં સુધી ચાલશે ? બર્ધનચોકમાં કયાં સુધી વેપારીઓને ગેરકાયદેસર દબાણ કરનારાઓથી રાહત મળશે તે તો સમય જ કહેશે પરંતુ એસ્ટેટ શાખાના અધિકારીઓએ સતત આ પ્રકારની ઝુંબેશ ચાલું રાખવી જોઇએ તેમ લોકોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application