રઘુવંશી જ્ઞાતિના કોટેચા પરિવારનો સોમવારે પોરબંદર મુકામે શારદીય મહાયજ્ઞ

  • October 17, 2023 12:02 PM 

રઘુવંશી જ્ઞાતિના કોટેચા પરિવારના કુળદેવી પૂજ્ય શ્રી ભવાની માતાજી અને આરાધ્યા શ્રી રાંદલ માતાજીનો સંયુક્ત 19 મો શારદીય નવરાત્રી મહોત્સવ મહાયજ્ઞ આગામી સોમવાર તારીખ 23મી ના રોજ પોરબંદર નજીક બોખીરા નજીક આવેલા રજવાડી પાર્કમાં "કોટેચા કેવલધામ" ખાતે યોજવામાં આવ્યો છે.


નવમા નોરતે યોજવામાં આવેલા આ નવરાત્રી મહાયજ્ઞ મહોત્સવમાં સોમવારે સવારે 9:30 વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે. 11:30 વાગે સમૂહ હોમાત્મક વિધિ અને નિવેદ અન્નકૂટ યોજવામાં આવશે. યજ્ઞ પ્રસંગે સવારે 11 વાગ્યે ધ્વજારોહણ તેમજ બપોરે દોઢ વાગ્યે 351 દિવડાઓની આરતી સાથે બીડું હોમવામાં આવશે. આ ધર્મોત્સવમાં સહભાગી થવા સર્વે કોટેચા પરિવારજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application