શાકમાર્કેટ, નિર્મળનગર અને આંબાચોક વિસ્તારમાંથી અસ્થાઈ દબાણ દૂર કરાયું

  • December 13, 2023 06:20 PM 

મહાનગર પાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુ. ની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરની મુખ્ય શાકમાર્કેટ, વડવાવોશિંગઘાટ તેમજ નિર્મળનગર અને આંબાચોક વિસ્તારમાંથી ૧૫જેટલી લારી અને કાઉન્ટર સહિતનો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડવાવોશિંગઘાટ નજીક સ્કૂલ પાસેની જગ્યામાં અડચણરૂપ રીક્ષા અને માલવાહક રીક્ષાટેમ્પો મળી ૬જેટલાં વાહનોને લોક મારી દંડ વસુલાયો હતો. મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે શાકમાર્કેટ, વડવાવોશિંગઘાટ, નિર્મળનગર તેમજ આંબાચોક સહિતના વિસ્તારોમાંથી અસ્થાઈ દબાણો દૂર કરાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application