તલાટી અને કર્મચારી મંડળના હોદેદારોએ જિલ્લા વિકાસ અધિકારીને મળીને રજૂઆત કરી
જામનગર તાલુકાના બેડ ખાતે ફરજ બજાવતા તલાટી મંત્રીની ફલ્લા બદલી થયા બાદ માત્ર બે જ દિવસમાં સીધા જામજોધપુર બદલાવી દેવામાં આવતાં તલાટીઓમાં રોષની લાગણી જન્મી છે, કેટલાક રાજકીય લોકોના ઇશારાને કારણે આ બદલી થઇ છે ત્યારે તલાટી અને કર્મચારી મંડળના હોદેદારોએ ડીડીઓ વિકલ્પ ભારદ્વાજને રુબરુ મળીને આ બદલી રોકવા માંગ કરી છે.
બેડ ખાતે ફરજ બજાવતા તલાટી મંત્રી સિઘ્ધરાજસિંહ જાડેજાની બદલી ફલ્લા કરવામાં આવી હતી, હજુ તેઓ બે દિવસ કામગીરી કરે ત્યાં જ તેની ફરીથી બદલી કરીને જામજોધપુર તાલુકામાં મુકવામાં આવ્યા હતાં, કોઇપણ વાંક વીના તેમની બદલી કરાતા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ દિગુભા જાડેજા તેમજ તલાટી મંત્રી મંડળના હોદેદાર પરેશભાઇ પારગીને ડીડીઓને રુબરુ રજૂઆત કરીને આવી રીતે બદલી ન કરવા જણાવ્યું છે અને આ બદલી પાછળ જિલ્લા પંચાયતના એક પૂર્વ પદાધિકારી અને એક સભ્ય હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ અંગે હાલના પ્રમુખ હજુ સુધી મૌન સેવી રહ્યા છે. આમ જોઇએ તો એક મહીનામાં ત્રણ-ત્રણ વખત બદલી કરવામાં આવી છે, જિલ્લા પંચાયતમાં બદલી પ્રકરણે ભારે ઉહાપોહ જગાવ્યો છે.
જામનગર જિલ્લા પંચાયતમાં પૂર્વ પદાધિકારીઓ અને હાલમાં ફરજ બજાવતાં પદાધિકારીઓ દ્વારા તેમને ન ગમતા કેટલાક કર્મચારીઓને વીણી-વીણીને બદલી કરી નાખે છે તેવો આક્ષેપ થઇ રહ્યો છે, કેટલાકની બદલી મહીનામાં ત્રણ વખત અમુકની બદલી મહીનામાં બે વખત પણ કરી દેવામાં આવી છે, હાલમાં થયેલી બદલીમાં કોનો હાથ છે ? તે પણ જોવું જોઇએ, કર્મચારી મંડળ અને તલાટી મંત્રીના હોેદેદારોએ આ સમગ્ર પ્રકરણમાં ડીડીઓને ઉગ્ર રજૂઆત કરીને રાજકીય પ્રેરીત બદલીઓ અટકાવવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech