રાજકોટના જામનગર રોડ પર નાગેશ્ર્વર મંદિર પાસે રહેતા અને જસદણના પીપરડી ગામે તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતા સુભાષ અંબાશંકરભાઈ પંડયા ઉ.વ.૪૫ ઘરેથી બુલેટ પર જસદણ તાલુકા પંચાયતે જવાનું કહીને નીકળ્યાના એક અઠવાડીયાથી ગુમ થયા હોય પડધરીના વિસામણ ગામે રહેતા સાસુ દક્ષાબેન નર્મદાશંકર જોષી ઉ.વ.૬૧એ જમાઈ ગુમ થયાની રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવતા (ગુમ થયાની નોંધ) પોલીસે યુવકના મોબાઈલ નંબરના આધારે તપાસ આરંભી છે.
બનાવ સંદર્ભેની પોલીસના સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ સુભાષભાઈ પંડયાને લોન મુકવી હતી જેથી પે સ્લીપની જરૂરીયાત ઉભી થઈ હતી. જસદણ તાલુકા પંચાયત ખાતે પે સ્લીપ લેવા જવું છે તેમ કહી ગત તા.૨૨૧૧ના રોજ સુભાષભાઈ પંડયા ઘરેથી બપોરે એકાદ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. બપોરના ચારેક વાગ્યાના અરસામાં પત્નીને ફોન કરીને પોતે હવે અહીંથી નીકળે છે તેવું જણાવ્યું હતું. મોડી સાંજ સુધી ઘેર પરત ફર્યા ન હતા. મોબાઈલ ફોન પણ સ્વીચઓફ આવતો હતો.
સુભાષભાઈ સંપર્ક વિહોણા બની ગયા હતા. પરિવારજનો દ્રારા સગાસ્નેહી, પરિચીતોમાં તપાસ કરાઈ હતી. કયાંય કોઈ ભાળ મળી ન હતી. સાહ જેવો સમય વિતવા છતાં જમાઈનો કોઈ પત્તો નહીં લાગતા દક્ષાબેન જોષી દ્રારા ગાંધીગ્રામ પોલીસ મથકે ગુમની જાણવા જોગ નોંધ કરાવવામાં આવી હતી. પોલીસને પ્રાથમીક તબકકે એવી વિગત જાણવા મળી છે કે, સુભાષભાઈ અગાઉ આવી રીતે ઘરેથી નીકળી જતા હતા અને પરત આવી જતા હતા. સાહ જેવો સમય થતાં તેમજ મોબાઈલ ફોન પણ બધં આવતો હોવાથી ગુમની નોંધ કરાવાઈ છે. સુભાષભાઈના જમણા હાથ પર આરતી નામ ત્રોફાવેલ છે. સુભાષભાઈ પગાર સ્લીપ લેવા ગયાને એવું તો શું બન્યું કે એક અઠવાડીયાથી ગુમ છે તે અને યુવકની શોધ માટે મોબાઈલ કોલ ડીટેઈલના આધારે જમાદાર ખોડુભા જાડેજાએ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech