જામનગર રોડ પર રહેતા તલાટી મંત્રી જસદણ જવા નીકળ્યાના એક સાહથી લાપતા

  • November 30, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના જામનગર રોડ પર નાગેશ્ર્વર મંદિર પાસે રહેતા અને જસદણના પીપરડી ગામે તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતા સુભાષ અંબાશંકરભાઈ પંડયા ઉ.વ.૪૫ ઘરેથી બુલેટ પર જસદણ તાલુકા પંચાયતે જવાનું કહીને નીકળ્યાના એક અઠવાડીયાથી ગુમ થયા હોય પડધરીના વિસામણ ગામે રહેતા સાસુ દક્ષાબેન નર્મદાશંકર જોષી ઉ.વ.૬૧એ જમાઈ ગુમ થયાની રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવતા (ગુમ થયાની નોંધ) પોલીસે યુવકના મોબાઈલ નંબરના આધારે તપાસ આરંભી છે.


બનાવ સંદર્ભેની પોલીસના સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ સુભાષભાઈ પંડયાને લોન મુકવી હતી જેથી પે સ્લીપની જરૂરીયાત ઉભી થઈ હતી. જસદણ તાલુકા પંચાયત ખાતે પે સ્લીપ લેવા જવું છે તેમ કહી ગત તા.૨૨૧૧ના રોજ સુભાષભાઈ પંડયા ઘરેથી બપોરે એકાદ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. બપોરના ચારેક વાગ્યાના અરસામાં પત્નીને ફોન કરીને પોતે હવે અહીંથી નીકળે છે તેવું જણાવ્યું હતું. મોડી સાંજ સુધી ઘેર પરત ફર્યા ન હતા. મોબાઈલ ફોન પણ સ્વીચઓફ આવતો હતો.

સુભાષભાઈ સંપર્ક વિહોણા બની ગયા હતા. પરિવારજનો દ્રારા સગાસ્નેહી, પરિચીતોમાં તપાસ કરાઈ હતી. કયાંય કોઈ ભાળ મળી ન હતી. સાહ જેવો સમય વિતવા છતાં જમાઈનો કોઈ પત્તો નહીં લાગતા દક્ષાબેન જોષી દ્રારા ગાંધીગ્રામ પોલીસ મથકે ગુમની જાણવા જોગ નોંધ કરાવવામાં આવી હતી. પોલીસને પ્રાથમીક તબકકે એવી વિગત જાણવા મળી છે કે, સુભાષભાઈ અગાઉ આવી રીતે ઘરેથી નીકળી જતા હતા અને પરત આવી જતા હતા. સાહ જેવો સમય થતાં તેમજ મોબાઈલ ફોન પણ બધં આવતો હોવાથી ગુમની નોંધ કરાવાઈ છે. સુભાષભાઈના જમણા હાથ પર આરતી નામ ત્રોફાવેલ છે. સુભાષભાઈ પગાર સ્લીપ લેવા ગયાને એવું તો શું બન્યું કે એક અઠવાડીયાથી ગુમ છે તે અને યુવકની શોધ માટે મોબાઈલ કોલ ડીટેઈલના આધારે જમાદાર ખોડુભા જાડેજાએ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application