રામ, સીતા સહીત અન્ય પાત્રો માટે પસંદગી હજુ બાકી
ફિલ્મ નિર્માતા નીતીશ તિવારી તેમની ફિલ્મ રામાયણ માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ફિલ્મના પાત્રોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ફિલ્મ માં હનુમાનનું પાત્ર સની દેઓલ ભજવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
નીતીશ તિવારી લાંબા સમયથી તેની આવનરી ફિલ્મ 'રામાયણ' માટે હેડલાઇન્સમાં છે. આ ફિલ્મમાં હનુમાનના રોલને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ સાથે પણ ફિલ્મમાં કામ કરવા માટે વાતચીત ચાલી રહી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા માટે સની દેઓલની પુષ્ટિ થઈ ગઈ છે.
એક રિપોર્ટ અનુસાર હવે સની દેઓલ નીતીશ તિવારીની 'રામાયણ' ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવશે. સની દેઓલ પહેલીવાર ભગવાન હનુમાનની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે અને આ માટે તેઓ મે 2024 માં રામાયણ: ભાગ વનમાં તેના ભાગનું શૂટિંગ શરૂ કરશે. દારા સિંહ પછી સની દેઓલ હનુમાનના રૂપમાં જોવા મળશે.
સૂત્રના જણાવ્યા અનુસાર, નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સની દેઓલની ભૂમિકા નક્કી કરવામાં આવી છે અને તેઓ આ રોલ માટે સંમત થઈ ગયો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "સની દેઓલ જીવનમાં એક વખત ભગવાન હનુમાનની ભૂમિકા ભજવવાની તક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ એક સ્ટાર કાસ્ટ છે જે ભગવાને પોતે સેટ કરી છે. ભગવાન હનુમાન શક્તિનું પ્રતીક છે અને અત્યારે તે આ ભૂમિકા ભજવી રહ્યા છે.'
આ સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે ફિલ્મમાં રણબીર કપૂર રામ બનશે તો સાઈ પલ્લવી સીતા બનશે અને કૈકેયી લારા દત્તા બનશે. ઉપરાંત એવું પણ કહેવાય રહ્યું છે કે સાઉથનો સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી શકે છે. જો કે તેના વિશે કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech