ખંભાળિયાના સુવિખ્યાત બાલનાથ મહાદેવ મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન

  • October 04, 2023 10:25 AM 

ખંભાળિયા - પોરબંદર રોડ ઉપર આવેલા પ્રાચીન એવા શ્રી બાલનાથ મહાદેવ મંદિર ખાતે આગામી રવિવાર તારીખ આઠમી ના રોજ રાત્રે 8:30 વાગ્યાથી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.


ખંભાળિયાના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી અશ્વિનભાઈ પાઠક (ગુરુજી) નું આગમન અત્રે થઈ રહ્યું છે. તેમણે પોતાનું જીવન સુંદરકાંડને સમર્પિત કરી દીધું છે. તેઓ છેલ્લા 8500 દિવસથી પણ વધારે સમયથી દેશ વિદેશમાં સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે. આ શ્રી અશ્વિનભાઈ પાઠકના મધુર કંઠે સુંદરકાંડના પાઠનું સ્મરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા શ્રી બાલનાથ સુંદરકાંડ ગ્રુપ દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application