હીટવેવને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD અનુસાર, ત્રિપુરા થોડા દિવસો સુધી હીટ વેવની આગાહી રહેશે. લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે.
ત્રિપુરામાં ગરમીની સ્થિતિને જોતા સરકારે આદેશ જારી કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓ 24 થી 27 એપ્રિલ સુધી બંધ રહેશે. એક અધિકારીએ બુધવારે (24 એપ્રિલ) આ માહિતી આપી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન અનુસાર, ત્રિપુરામાં બુધવારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
ત્રિપુરામાં ઉનાળુ વેકેશન જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહના અંત સુધીમાં ત્રિપુરામાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. શિક્ષણ (શાળા) વિભાગના અધિક સચિવ એનસી શર્માએ જણાવ્યું હતું કે, "તમામ સરકારી સહાયિત અને ખાનગી શાળાઓને 24 થી 27 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે." અન્ય અધિકારીએ કહ્યું, “સમગ્ર રાજ્ય ગરમીની લપેટમાં છે અને આ સ્થિતિ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે. આ હીટ વેવ અને ભેજવાળા હવામાનને જોતા ત્રિપુરા સરકારે રાજ્યના દૃષ્ટિકોણથી તેને વિશેષ આપત્તિ જાહેર કરી છે.
બપોર પછી ઘરની બહાર ન નીકળવાની આપવામાં આવી સલાહ
તેમણે કહ્યું કે જિલ્લા સ્તરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સલાહ આપવામાં આવી છે. અધિકારીએ કહ્યું, “જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા માટે ઈમરજન્સી સેન્ટરો અને ક્વિક રિસ્પોન્સ ટીમોને સક્રિય કરવા કહેવામાં આવ્યું છે. રાજ્યના લોકોની સલામતી માટે તમામ વિસ્તારોમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે મહેસૂલ વિભાગે એક એડવાઈઝરી જારી કરીને લોકોને ખાસ કરીને સવારે 10 થી બપોરના 3 વાગ્યાની વચ્ચે તડકામાં બહાર ન જવા માટે કહ્યું છે.
આ રાજ્યોમાં રજા કરાઈ જાહેર
દેશના અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્રમાં 18મી એપ્રિલથી, ઓડિશામાં 25મી એપ્રિલથી, પશ્ચિમ બંગાળમાં 22મી એપ્રિલથી અને બિહારની સરકારી શાળાઓમાં 15મી એપ્રિલથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMજામનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત
July 02, 2024 07:02 PMરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech