જસદણના ભાડલામાં તળાવના કાંઠે આવેલી સરકારી જમીન ખાલી કરવા તંત્રએ નોટિસ ફટકારતા આધેડે આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારે સરકારી તત્રં સામે કેટલાક આક્ષેપો કરી વિવિધ માંગણીઓ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યેા હતો અને હોસ્પિટલના પીએમ મે ટોળા એકઠાં થયા હતા. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી.
પ્રા માહિતી મુજબ ભડાલા ગામે રહેતા રામજીભાઈ ભલાભાઈ વાઘેલા (ઉ.વ.૫૫) નામના આધેડે ગત તા.૩૦ના રોજ સરિતા વિહાર તળાવ કાંઠે આવેલી વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ જસદણ બાદ ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગત રાત્રે દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતકે પાંચ ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરે હતા. અને સંતાનમાં બે દીકરા બે દીકરી છે. પરિવારજનોએ હોસ્પિટલના પીએમ મએ લાશ સ્વિકારવાનો ઇન્કાર કરી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તળાવના કાંઠે આવેલી પાંચ એકર જમીન ૪૦ વર્ષથી વાવણી કરીએ છીએ. જમીન ખાલી કરાવવા માટે જસદણના સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ અનેક વખત આવી અને પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો જમીન ખાલી કરવી પડશે તેવી ધમકી પણ આપી હતી. તળાવમથી કાપ કાઢી ખેતરમાં નાખતા હતા ત્યારે પણ અધિકારીઓ આવી તેમ મંજૂરી વગર કાપ કાઢો ચો કહી ધમકાવતા હતા. જમીન ખાલી કરાવે તો આખો પરિવાર કયાં જઈએ કહી વળતર આપવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની સહિતની કેટલીક માંગણીઓ કરી હતી. બનાવના પગલે પોલીસના ધાડા ઉતરી પડા હતા અને સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પરિવારજનોએ દોષિતો સામે ગુનો નોંધવાની સહિતની માંગણી કરી હતી જે માંગણીઓ મુદ્દે કાર્યવાહી કરવાની ખાત્રી આપવાની સાથે સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યેા હતો
સાચા કસુરવારો સામે તપાસ કરી પગલાં ભરો: જીજ્ઞેશ મેવાણી
આધેડના મોત મામલે સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના નેતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી સમગ્ર બનાવની વિગત મેળવી હતી. મેવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, પીડિત પરિવાર લાંબા સમયથી સરકાર પાસે સાણથલીની જમીનની માંગણી કરી રહ્યો હતો જમીન ન મળતા તંત્રની બેદરકારીના કારણે આત્મવિલોપન કરવાની ફરજ પડી છે, પ્રૌઢના મોતમાં સરકારી તત્રં કરતા પણ સરકાર વધુ જવાબદાર હોવાનું ઉમેયુ હતું. વધુમાં પીડિત પરિવારને ન્યાય મળે માટે સીટની રચના કરી પ્રામાણિક ઓફિસરને તપાસ સોંપી કસૂરવાર સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech