જામનગર શહેરની વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજના છાત્રો લોક અદાલતની મુલાકાતે

  • December 15, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગત તા. ૦૯-૧૨-૨૦૨૩ ના રોજ વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજના પ્રો. પ્રેક્ષાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ બી.એ. ના વિદ્યાર્થીઓએ લોક અદાલતની મુલાકાત લીધી હતી. આ તકે પ્રિન્સિપાલ ઓફ જજ, ડીએલએસએ સેક્રેટરી અને અન્ય ન્યાયાધીશો દ્વારા કેસની માહિતી અને લોક અદાલતની સમગ્ર સમજ, લોકો માટે લોક અદાલતનું મહત્વ, લોક અદાલતમાં કેસોનો કેમ નિકાલ થાય...? તેની પ્રોસિઝર પણ દેખાડીને સમજાવવામાં આવી હતી. જેમાં વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજના પ્રિન્સિપાલ રામ કેવલરામાણી, આર્ટસ વિભાગના અધ્યાપકો તથા ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લીધેલો હતો. આ સાથે ફેમીલી કોર્ટ, નારી અદાલત, મહિલા અને બાળ વિભાગની કચેરીની મુલાકાત પણ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application