જામનગરની ચેમ્બર કોલોનીમાં ઘર તથા મંદિર પર પથ્થરમારો

  • August 31, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિજ પરથી પાણા ભરેલુ બાચકું મળ્યું : ચાર શખ્સ સામે પોલીસ ફરીયાદ : બોલાચાલીનું મનદુ:ખ રાખી પથ્થરમારો કરી ધાર્મિક લાગણી દુભાવી

જામનગરમાં સમર્પણ બ્રીજ નીચે આવેલા રાધે કૃષ્ણ મંદિર, ઘર પર વિધર્મી  સહિતના શખસોએ પથ્થરમારો કરતા ભારે ચકચાર જાગી છે. બ્રીજ પરથી પથ્થર ભરેલું બાચકું પણ મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, દરમ્યાન આ મામલે ચાર શખ્સો સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરમાં વિશાલ હોટલ સામે ચેમ્બર કોલોનીમાં રાધે કૃષ્ણનું મંદિર આવેલું છેે. ગઇકાલે વહેલી સવારે વિઘર્મી શખ્સ સહિતનાઓએ મંદિર પર પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતા હિન્દુ સેનાના કાર્યકરો દોડી ગયા હતાં. આ દરમ્યાન બ્રીજ પર પથ્થરનું બાચકું મળી આવ્યું હતું. આટલું જ નહીં મંદિરમાં પણ પથ્થર પડયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.
દરમ્યાનમાં વિશાલ હોટલ સામે ચેમ્બર કોલોનીમાં રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતા અને કડીયાકામ કરતા લખમણભાઇ તેજાભાઇ પરમાર (ઉ.વ.૬૧) દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના નાજીર, કમલેશ, ચેતન અને આશિષ નામના ચાર શખ્સો વિરુઘ્ધ આઇપીસી કલમ ૨૯૫, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદમાં જણાવ્યુ હતું કે આરોપી નાજીર તથા ફરીયાદી લખમણભાઇને બોલાચાલી થયેલ હોય જેનું મનદુ:ખ રાખીને આરોપીના કહેવાથી અન્ય ત્રણ શખ્સોએ ફરીયાદીના ઘર પર તેમજ તેની બાજુમાં આવલ રાધાકૃષ્ણના મંદિર પર પથ્થરમારો કરી ફરીયાદીની ધાર્મિક લાગણી દુભાવી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી, આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application