ખંભાળિયામાં રેલ્વે એન્જિનમાં સ્પાર્ક: એન્જિન બદલાયું

  • July 31, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પાસેથી પસાર થઈ રહેલી વેગન સાથેની એક માલગાડીમાં ગતરાત્રે સ્પાર્ક તથા તંત્ર દ્વારા તાકીદે એન્જિન બદલાવી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓખા તરફથી જામનગર તરફ જઈ રહેલી એક માલગાડી ગતરાત્રે ખંભાળિયા નજીક પહોંચતા આ માલગાડીના એન્જિનમાં સ્પાર્ક થયું હતું. વીજળી જેવા કરંટ આ એન્જિનમાં જોવા મળતા આ માલગાડીને અહીં જ રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય સ્થળેથી બીજું એન્જિન મંગાવી અને ટ્રેનને નિયત સ્થળે રવાના કરવામાં આવી હતી. જો કે એન્જિનમાં આગ લાગી હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application