જમાઇએ સાસુ, સસરા અને પત્નિને માર માર્યો

  • September 16, 2024 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમરાળા તાલુકાના તરપાળા ગામમાં કારજની વીધીમાં હાજરી આપવા માટે ગયેલી મહિલાને તેના પતિએ માર માર્યો હતો, તો જમાઈએ કારજની વિધામાં આવેલા સાસુ અને સસરાને પણ માર માર્યો હતો. જમાઇના અન્ય સગા સબંધીઓએ પણ લાકડીથી તેમજ ઢીંકાપાટુનો માર મારી ઇંજા પહોંચાડતા આ બનાવ અંગે ઉમરાળા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
નાથાભાઈ મંગાભાઇ ચૂડાસમાએ અરવિંદ કેશુભાઇ સોલંકી, નરેશ કેશુભાઈ સોલંકી, પરેશ ખીમજીભાઈ સોલંકી અને ખીમજી હીરાભાઈ સોલંકી (તમામ રે.તરપાળા) સામે નોંધાવેલી  ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની દિકરી વીમળાના ૧૪ વર્ષ પહેલા આરોપી નરેશ સાથે થયા હતા અને તેને સંતાનમાં બે પુત્ર છે. વીમળા  છેલ્લા એક વર્ષથી રિસામણે પિતાના ઘરે રહે છે.
તાજેતરમાં કેશુભાઇ સોલંકીનું  મૃત્યુ થતાં તેના કારજની વીધીમાં બે હાજરી આપવા માટે ફરિયાદી તેમજ કે તેના પત્નિ અને દિકરી કારજની શ વીધીમાં હાજરી આપવા માટે તે આવ્યાં હતા અને વીધી પતિ ગયા બાદ દિકરી એક વર્ષથી રિસામણે હોય તેની સમાધાનની વાતો કરતા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઇ જઈ ફરિયાદી, તેમના પત્નિ અને દિકરીને લાકડીથી માર માર્યો હતો તેમજ ઢીંકાપાટુનો માર મારી ઇંજા પહોંચાડી હતી. ઉમરાળા પોલીસે આ બનાવ અંગે ચારે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application