પોરબંદરના સામાજિક અગ્રણીનું વન વિભાગ દ્વારા થયું સન્માન

  • August 20, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના સામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાનું ૭૫ માં વન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.
સેવાના સારથી અને હર હંમેશ સેવા માટે તત્પર રહેતા પાયોનિયર કલબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય તથા લાયસન્સ કલબ બાપુ  ના પ્રમુખ  પ્રવિણભાઈ ખોરાવાનું ૭૫ માં વન મહોત્સવ અંતર્ગત પોરબંદર વન વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. તેઓ દ્વારા અંગત રસ લઇને વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર અને તેની જાળવણી અને જતન માટેની સુંદર અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતન માટે કરેલ ઉમદા કામગીરી બદલ હાદિેક અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. 
આ સન્માન સમારોહમાં   પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા,પુર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, કલેકટર,  ડી.એસ.સી, ડો. વિરમભાઇ ગોઢાણીયા અને તમામ શહેરીજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application