વાડિયા ઇન્સ્િટટૂટ આફ હિમાલયન જીઓલોજીએ શોધી કાઢું છે કે સાડા છસો વર્ષ પહેલાં ઉત્તરાખંડથી નેપાળ સુધી એક ભયંકર ભૂકપં આવ્યો હતો જેને વ્યાપક તબાહી નોતરી હતી. વૈજ્ઞાનિકોએ ઉત્તરાખંડના કોટદ્રાર વિસ્તાર પાસે લાલધાંગમાં આના પુરાવા શોધી કાઢા છે. આ ભૂકપં આઠ મેિટુડનો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખડં અને નેપાળ વચ્ચે કયાં હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.
વાડિયા ઇન્સ્િટટૂટમાં આયોજિત જીઓ–રિસર્ચ સ્કોલર્સ મીટના બીજા દિવસે વરિ વૈજ્ઞાનિક ડો.આર.જે. પેમલે જણાવ્યા અનુસાર, ઐતિહાસિક ભૂકંપને શોધી કાઢવા માટે લાલધાંગ વિસ્તારમાં પ્રથમ સેટેલાઇટ મેપિંગ કરવામાં આવ્યું હતું. આ પછી, ફોલ્ટ એરિયામાં ૧૦ મીટર ઐંડાઈ, લગભગ ૨૦ મીટર લંબાઈ અને ૦૬ મીટર પહોળાઈનો ખાડો ખોદવામાં આવ્યો હતો. ઐતિહાસિક ધરતીકપં દરમિયાન જમીનમાં પડેલી તિરાડોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેની અવધિનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આઠ રિકટર સ્કેલના બે ભૂકપં આવ્યા હતા.
ડો. આરજે પેમલના જણાવ્યા અનુસાર, લાલધાંગ વિસ્તારમાં કરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે ૧૩૪૪ અને ૧૫૦૫ની આસપાસ અહીં ૮ રિકટર સ્કેલના બે ભૂકપં આવ્યા હતા. આ ભૂકપં એટલા શકિતશાળી હતા કે લાલધાંગથી લઈને રામનગર, ટનકપુર અને પશ્ચિમ નેપાળ સુધી પૃથ્વીમાં તિરાડો પડી ગઈ હતી. તેની ત્રિયા લગભગ ૨૦૦ કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની સીધી અસર ઉત્તરાખંડથી નેપાળ સુધી વિસ્તરેલી હતી, પરંતુ તેનું કેન્દ્ર કયાં હતું તે હજુ જાહેર થયું નથી.
ભૂકંપના કારણે જમીન ૧૩ મીટર વધી ગઈ હતી
વાડિયા ઇન્સ્િટટૂટ આફ હિમાલયન જીઓલોજીના વરિ ભૂસ્તરશાક્રી ડો. આરજે પેમલના જણાવ્યા અનુસાર, ૧૩૪૪ અને ૧૫૦૫માં આવેલા આઠની તીવ્રતાના ભૂકપં એટલા શકિતશાળી હતા કે તેમણે જમીનને ૧૩ મીટર સુધી ઉંચી કરી દીધી હતી. જમીનનો આ ઐંચો ભાગ તેના ફોલ્ટ એરિયામાં જોઈ શકાય છે.
ભવિષ્યમાં પણ મોટા ભૂકંપની આશંકા છે
સંબંધિત વિસ્તારમાં પ્રચડં ધરતીકંપનો ઈતિહાસ એ પણ છે કે ભવિષ્યમાં આ વિસ્તારમાં સમાન ક્ષમતાના ધરતીકંપો આવી શકે છે. વરિ વૈજ્ઞાનિક ડો. આરજે પેમલ કહે છે કે મોટા ભૂકંપનો ઈતિહાસ ધરાવતા વિસ્તારોમાં અત્યાધુનિક અને ભૂકપં વિરોધી ટેકનોલોજી પર બાંધકામ અને મોટા પ્રોજેકટસ હાથ ધરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech