- કપલ ફોટા શેર કર્યા, હનીમૂન માટે માલદીવ જવાની અટકળો
- વરઘોડામાં ઊંટ, ઘોડા અને વૈભવી વાહનોનો કાફલો સામેલ હતો
બોલીવુડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે હંમેશા માટે એક થઇ ગયા. બંનેએ પોતપોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર ફોટોઝ શેર કર્યા. જેમાં કિયારા અડવાણી ગુલાબી લહેંગામાં સુંદર લાગી રહી હતી. કિયારાએ સુંદર ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો. તો સિદ્ધાર્થ પણ ડેશિંગ લાગી રહ્યો હતો. બંને સરસ લાગી રહ્યા હતા. ડીઝાઇનર મનીષ મલ્હોત્રાએ કપલનો ડ્રેસ તેમજ બંનેના પરિવારના સભ્યો માટે ડ્રેસ તૈયાર કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પારિવારિક વિધિઓને કારણે સિદ્ધાર્થ અને કિયારા જલ્દી હનીમૂન માટે નીકળી શકશે નહીં. તેઓએ લગ્ન બાદ સિંધી અને પંજાબી પરિવારની વિધિ પણ કરવાની રહેશે. સિદ્ધાર્થની પણ કેટલીક વર્ક કમિટમેન્ટ છે, જે પૂરી કરવી પડશે. શક્ય છે કે વેબ સીરિઝ 'ભારતીય પોલીસ ફોર્સ'ના કારણે તેણે પોતાના હનીમૂન પ્લાનને આગળ વધારવો પડશે. અટકળો અનુસાર હવે સિદ્ધાર્થ-કિયારા હનીમૂન માટે માલદીવ જઈ શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, શહેરાબંદી સેરેમની ગઇકાલે બપોરે 2 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. લગ્નના સરઘસમાં પાઘડીઑ પહેરાવવામાં આવી હતી. 4 વાગે ફરી સંપૂર્ણ શાહી શૈલીમાં વરઘોડો નીકળ્યો હતો. જેમાં ઊંટ, ઘોડા અને વૈભવી વાહનોનો કાફલો સામેલ હતો. યુગલે સૂર્યગઢ પેલેસના સ્ટેપવેલ પર પેવેલિયનની નીચે 7 ફેરા લીધા.ચાહકોને ફિલ્મ શેરશાહની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી દિવાના બનાવનાર આ જોડી હવે રિયલ લાઈફમાં પણ કપલ બની ગઈ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લગ્ન માટે તેમણે જેસલમેરના સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો હતો, જેમાં તેમના પરિવાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સિદ્ધાર્થ કિયારા છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં પણ હતા.
6 ફેબ્રુઆરીએ સંગીત કી રાત પહેલા સિદ્ધાર્થ-કિયારાની રોકા અને ચૂડા સેરેમની થઈ હતી. રોકાને બે પરિવારોના એકતાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ સમારોહમાં સિદ્ધાર્થ અને કિયારાના માતા-પિતા બંને હાજર હતા. આ પછી અભિનેત્રીની ચૂડા સેરેમની પણ થઈ. સૂર્યગઢ પેલેસ સંગીત કી રાત માટે ગઈકાલે રાત્રે ગુલાબી રંગથી ઝગમગી ઉઠ્યો હતો. સિદ્ધાર્થ સાથે સ્ટેજ પર કિયારા અડવાણીના ભાઈ મિશાલ પણ જોડાયા હતા, જેમણે તેમના માટે એક ગીત પણ ગાયું હતું. આ રીતે આખી સેરેમની ભવ્ય ધામધૂમથી ઉજવાઇ હતી.
વિકી કૌશલ-કેટરિના કૈફ, રણબીર-આલિયા અને કેએલ રાહુલ-આથિયા શેટ્ટી જેવા અન્ય સેલિબ્રિટિ યુગલોની જેમ, સિદ્ધાર્થ-કિયારાએ પણ હવે એક ગ્રાન્ડ વેડિંગથી પોતપોતાના જીવન એકબીજા સાથે વિતાવવાનું નક્કી કર્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો 38 વર્ષીય સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે મિશન મજનૂમાં જોવા મળ્યો હતો. તે આગામી સમયમાં યોદ્ધામાં જોવા મળશે, જેમાં દિશા પટાની અને રાશિ ખન્ના પણ છે, જ્યારે 30 વર્ષની કિયારા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. બંને શેરશાહથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech