શું ડ્રાયફ્રૂટ્સને પાણીમાં કે દૂધમાં પલાળી ખાવા જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો

  • August 02, 2024 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડ્રાયફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણીવાર તેને હેલ્ધી નાસ્તા  તરીકે ખાવામાં આવે છે. કાજુ, પિસ્તા અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, વિટામીન E, B12, D અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે.

આ તમામ પોષક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. નિષ્ણાતો ઘણીવાર ડ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવાની ભલામણ કરે છે. આ કારણે સ્વાસ્થ્યને વધુ લાભ મળે છે. પરંતુ શું ડ્રાયફ્રૂટ્સને પાણીમાં કે દૂધમાં પલાળી રાખવાથી વધુ ફાયદા થાય છે? 

પાણીમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ:
નિષ્ણાતો કહે છે કે પાણીમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ફાયટીક એસિડ ઘટે છે. વાસ્તવમાં આ એસિડ આપણા પેટ માટે ખૂબ નુકસાનકારક છે. આ ફાયટીક એસિડ અપચોનું કારણ બની શકે છે. 

સૂકા ફળોને દૂધમાં પલાળી રાખવા:
નિષ્ણાતો કહે છે કે જો 1 કલાકની અંદર ડ્રાયફ્રૂટ્સ ખાવા હોય તો તેને દૂધમાં પલાળી રાખો. જે લોકોને સામાન્ય દૂધ પીવું પસંદ નથી તેઓ તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને પી શકે છે. તેનાથી દૂધનો સ્વાદ પણ વધશે અને સ્વાસ્થ્યને વધુ ફાયદા થશે. સાથે જ દૂધમાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને ખાવાથી શરીરને વધુ પ્રોટીન, કેલ્શિયમ અને મિનરલ્સ મળે છે. આ વજન વધારવામાં પણ મદદ કરે છે.

ડ્રાયફ્રૂટ્સને શેમાં પલાળીને ખાવા જોઈએ?
ડ્રાયફ્રૂટ્સને પાણી કે દૂધમાં પલાળીને ખાવાએ દરેક વ્યક્તિની જરૂરિયાત પર નિર્ભર કરે છે. જે લોકો દરરોજ ડ્રાય ફ્રુટ્સ ખાવા ઈચ્છે છે અથવા કોઈ પણ પ્રકારની મેડિકલ કન્ડિશન હોય તો તેના વિશે તેમના હેલ્થ એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી જોઈએ, પરંતુ તેમ છતાં તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application