આજે ધનતેરસ પર્વ પર સોના ચાંદીના દાગીના સહીત વાહનોની ખરીદી કરાઈ

  • November 10, 2023 07:26 PM 

આજે શુક્રવારે આસો વદ તેરસના રોજ ઘનતેરસ ની ઉજવણી કરાઇ છે. શહેરના વોરા બજાર માં આવેલા મહાલક્ષ્મીજીના મંદિરમાં માતાજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ જામી હતી.તેમજ સોના -ચાંદીના દાગીના, જમીન, મકાનની પણ મોટા પ્રમાણમાં ખરીદી થઇ હતી. આસો વદ તેરસના રોજ આજે શુક્રવારે બપોરે ૧૨.૩૭ કલાકથી ઘનતેરસ પર્વ શરૂ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી. લક્ષ્મીજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યુ હતુ. શ્રીસૂકત,કનકધારા સ્તોત્ર,કુબેર પાઠનું પઠન કરાયું હતું. શ્રીયંત્ર અને કુબેર યંત્રની વિધિવત પૂજા કરવામાં આવી હતી.શહેરના વોરાબજાર ખાતે આવેલા મહાલક્ષ્મીજીના મંદિરમાં દર્શનાર્થે લોકોની ભીડ જામી હતી. ધનતેરસની વર્ષના કેટલાક શુભ દિવસોમાં ગણત્રી થાય છે.આ દિવસે ખરીદેલા સોના અને ચાંદી તેમજ અન્ય ચીજ વસ્તુઓ શુકનવંતી ગણાય છે.આથી સોના ચાંદીના વેપારીઓને ત્યાં સોના ચાંદીના દાગીના તેમજ લગડી ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. લોકોએ શુકનવંતી ખરીદી કરી હતી.તદુપરાંત વાહનો,જમીન મકાન, ઇલેક્ટ્રોનિકસ વસ્તુઓની ખરીદી પણ મોટા પ્રમાણમાં થઈ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application