ઈટલી પાસે જહાજની જળસમાધિ 11ના મોત, 60થી વધુ લોકો લાપતા

  • June 18, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ ઇટલીના કેલેબ્રિયાના દરિયાકાંઠે લગભગ 193 કિમી દૂર એક જહાજને આપતિજનક સ્થિતિમાં જોયા બાદ અન્ય મર્ચન્ટ શીપે કોસ્ટ ગાર્ડને જાણ કરી હતી અને તાબડતોબ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇટાલિયન કોસ્ટ ગાર્ડ જહાજ આવે ત્યાં સુધીમાં અન્ય વેપારી જહાજે 12 લોકોને બચાવી લીધા હતા. જો કે 60થી વધુ લોકો લાપતા થયા હોવાની આશંકા છે જેમની શોધખોળ ચાલુ છે.

સોમવારે ઇટલીના દરિયાકાંઠે જહાજ ડૂબી જવાની બે ઘટના બની હતી જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને 66 અન્ય ગુમ થયા હતા. અહેવાલ અનુસાર જહાજ તૂટી પડ્યાના કલાકો પછી ઇટાલીના કોસ્ટ ગાર્ડે સોમવારે મોડી રાત્રે ભૂમધ્ય સમુદ્રમાં શોધ અને બચાવ કામગીરી ચાલુ રાખી હતી. દક્ષિણ ઇટાલીમાં કેલેબ્રિયાના દરિયાકાંઠે લગભગ 120 માઇલ (193 કિમી) દૂર એક જહાજને મુશ્કેલીમાં જોયા પછી એક વેપારી જહાજે એસઓએસ કોલ કર્યો હતો અને કોસ્ટ ગાર્ડને જાણ કરી હતી અને ત્યાં સુધીમાં 12 લોકોને બચાવ્યા કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, એક મહિલા ખૂબ જ બીમાર હોવાને કારણે જહાજમાંથી ઉતયર્િ પછી તરત જ મૃત્યુ પામી હતી. કોસ્ટ ગાર્ડે વધુમાં જણાવ્યું હતું કે, જહાજ ડૂબી ગયા બાદ બચી ગયેલા લોકોની શોધ ચાલુ છે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે બે ઇટાલિયન પેટ્રોલિંગ બોટ અને એક એટીઆર42 એરક્રાફ્ટ શોધમાં સામેલ છે અને તબીબી ટીમો સાથેનું અન્ય પેટ્રોલિંગ જહાજ ટૂંક સમયમાં સર્ચ ઓપરેશનમાં જોડાશે. સોમવારે મોડી સાંજ સુધી અન્ય કોઈ જીવિત મળી આવ્યું ન હતું.

જહાજ તુર્કિયેથી રવાના થયું હતું
સ્થાનિક મીડિયા અનુસાર, 66 લોકો હજુ લાપતા છે, જેમાંથી 26 સગીર છે. બચી ગયેલા લોકોના જણાવ્યા મુજબ, ઇરાક, સીરિયા, ઈરાન અને અફઘાનિસ્તાનના સ્થળાંતર અને શરણાર્થીઓને લઈને બોટ ગયા અઠવાડિયે તુર્કીથી રવાના થઈ હતી. ઇટાલિયન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. આ બોટ ભૂમધ્ય સમુદ્ર થઈને યુરોપ પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application