- ખામોશ ફેમ એક્ટર શોટઘન સિંહાએ અમિતાભ સાથેના સંબંધો અંગે કર્યો ખુલાસો
- શત્રુઘ્ન પાસે દિવારની સ્ક્રિપ્ટ 6 મહિના સુધી પડી રહી હતી, જ્યારે શોલે તો....
એક સમયે બોલીવૂડના બે માંધાતા એક્ટર શત્રુઘ્ન સિન્હા અને અમિતાભ બચ્ચનની જોડી ઘણી લોકપ્રિય હતી. બંનેએ 'નસીબ', 'કાલા પથ્થર', 'શાન' અને 'દોસ્તાના' જેવી ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, પરંતુ કહેવાય છે કે 'કાલા પથ્થર' આવતા સુધીમાં બંને વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો હતો અને પછી બંને ક્યારેય ઓન સ્ક્રિન દેખાયા નહીં. બચ્ચન હજુ પણ એકટિંગમાં સક્રીય છે. જ્યારે શત્રુઘ્ન રાજનેતા બની ગયા છે.
શત્રુઘ્ન સિંહાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને આ દરમિયાન તેણે અમિતાભ સાથેને અણબનાવ સહિત કેટલાક મુદ્દે દિલ ખોલીને વાત કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે તે છેલ્લા 48 વર્ષથી એક વાતનો અફસોસ કરે છે.
શત્રુઘ્ન સિન્હાની બાયોગ્રાફી 'એનીથિંગ બટ ખામોશ'માં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ 'કાલા પથ્થર'ના શૂટિંગ દરમિયાન અમિતાભ-શત્રુઘ્ને એકબીજા સાથે વાત પણ કરી ન હતી. જયારે થોડા સમય પહેલાં શત્રુઘ્ન સિન્હાએ કોલકાતામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં ઘણા પાસાઓ પર વાત કરી.
વાતચીત દરમિયાન શત્રુઘ્નને બે સ્ટાર્સ વચ્ચેના અહંકારના સંઘર્ષ પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, જેના પર તેમણે કહ્યું કે અથડામણ થાય છે. અભિનેતાની પોતાની ફેન ફોલોઈંગ હતી. તેઓ જુદા જુદા સ્ટારડમ ધરાવતા હતા અને તેની સ્ટાર્સ પર ઘણી અસર પડે છે.
તેણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં તેને કોઈની સાથે દુશ્મની નથી, દરેક સાથે તેના સારા સંબંધો છે. તેઓ હવે એકબીજાને સમજવા લાગ્યા છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે 'આપણે એ લોકોને ભૂલી જવું જોઈએ જે આપણને તકલીફ આપે છે'. ઇવેન્ટમાં, જ્યારે તેમને એક એવી વસ્તુ વિશે જણાવવા માટે કહેવામાં આવ્યું કે જેનો તે ભાગ ન બની શકે અને તેને તેનો અફસોસ છે, ત્યારે તેમણે ખુલ્લા દિલથીકહ્યું કે તેમને ફિલ્મ 'દીવાર' અને શોલે ફિલ્મમાં કામ ન કરવાનો અફસોસ છે. જ્યારે આ ફિલ્મો તેમના માટે લખવામાં આવી હતી.
શત્રુઘ્ને વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસે ફિલ્મ 'દીવાર'ની સ્ક્રિપ્ટ તો લગભગ 6 મહિના સુધી હતી, પરંતુ કેટલાક અણબનાવના કારણે તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જયારે શોલે ફિલ્મ પહેલા તેમને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન તેની પાસે ઘણી ફિલ્મો હતી અને તારીખોની અછતને કારણે આ ફિલ્મ બાદમાં અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી. પાછળથી આ બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઈ, અને શત્રુઘ્ન સિંહાને હજુ પણ આ ફિલ્મો ન કરવાનો અફસોસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech