ધ્રોલમાં દશેરા નિમિતે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન: બાઇક રેલી

  • October 26, 2023 10:58 AM 

વિશાળ સંખ્યામાં હરધ્રોળ ભાયાતના રાજપૂતો ઉપસ્થિત રહી કર્યુ પૂજન



વિજયાદશમીના પવિત્ર દિવસે ધ્રોલ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન અને બાઇકરેલી યોજાઇ હતી, આ પૂર્વે ગાંધી ચોક ખાતે ધ્રોલ ઠાકોરસાહેબ ચંદ્રસિંહજીની પ્રતિમાને પુષ્પહાર કરી દરબારગઢ ખાતે વિધિવત શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.



દશેરાના પવિત્ર દિવસે ધ્રોલ રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપૂજન, ઠાકોર સાહેબને પુષ્પહાર તેમજ ભવ્ય બાઇક-કાર રેલી યોજાઇ હતી, ધ્રોલમાં હરધ્રોળ રાજપૂત સમાજ, રાજપૂત યુવા શક્તિ ગ્રુપ, કરણી સેના અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા વિજયાદશમીના વિજયના પર્વ નિમિતે વિશાળ સંખ્યામાં હરધ્રોળ ભાયાતના રાજપૂતો ઉપસ્થિત રહ્યા હતા.



ધ્રોલના દિપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતેથી હાઇવે રોડ, ગાંધીચોકથી દરબારગઢ સુધી આગળ ઘોડેસ્વારો સાથે વિશાળ બાઇક અને કાર રેલી યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત યુવાનો જોડાયા હતા, ત્યારબાદ ગાંધી ચોક તથા દરબારગઢ ખાતે ધ્રોલ ઠાકોરસાહેબને પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દરબારગઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં શસ્ત્રપૂજન કરવા ધ્રોલ શહેર તથા આસપાસના ગામોમાંથી વિશાળ સંખ્યામાં ક્ષત્રિય વડીલો, યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધાન મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.



આ સમયે હરધ્રોળ રાજપૂત સમાજના ઉપપ્રમુખ રાજભા જાડેજા, દિપસિંહજી રાજપૂત છાત્રાલયના પ્રમુખ પી.એસ. જાડેજા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, યુવા રાજપૂત સમાજના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application