કપૂર ખાનદાનમાં જલ્દી જ ગુજ્શે શરણાઈના સુર

  • June 25, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનીલ કપૂરે જાહેરાત તો કરી પરંતુ મગનું નામ મરી ન પાડ્યું

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે. આ કપલના રોમેન્ટિક વીડિયોને પણ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોનાક્ષી-ઝહીરના લગ્ન બાદ હવે ટૂંક સમયમાં જ બોલિવૂડમાં વધુ એક શહનાઈ વાગવા જઈ રહી છે.સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે કોર્ટ મેરેજ કર્યા બાદ મુંબઈમાં શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ બેસ્ટિયનમાં એક શાનદાર પાર્ટી રાખી હતી. સોનાક્ષી સિન્હાના લગ્નનની રિશેપ્સન પાર્ટીમાં બોલિવૂડના કેટલાક સ્ટાર્સ સામેલ થયા હતા. પાર્ટીમાં અનિલ કપૂર પોતાના ધાંસૂ અંદાજમાં કપલને આશીર્વાદ આપ્યા હતા. સોનાક્ષીની વેડિંગ પાર્ટી અટેન્ડ કર્યા બાદ અનિલ કપૂરે કહ્યું કે, કપૂર ખાનદાનમાં પણ જલ્દી જ શહેનાઈ વાગશે.અનિલ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કપૂર ખાનદાનમાં હવે કોના લગ્ન થવાના છે. અનિલ કપૂરે કહ્યું કે, અપેક્ષા છે કે, તે અર્જુનના થશે. જો કે, અર્જુનની દુલ્હન કોણ છે તે કહેવું મુશ્કેલ છે.


મલાઈકાએ આ અટકળોને નકારી
આ એટલા માટે કારણ કે, અર્જુન અને મલાઈકાના રિલેશનમા ઘણા ચઢાવ-ઉતાર જોવા મળ્યા છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે, મલાઈકાએ આ વાતથી સાફ ઇનકાર કર્યો હતો. મલાઈકાએ કહ્યું હતું કે, આ બધી અફવાઓ છે.જો કે, આ બધી અટકળો વચ્ચે અર્જુન હાલમાં મલાઈકાના ઘરે જોવા મળ્યો હતો.ત્યાં તે મલાઈકાની માતાને મળવા ગયો હતો. આ દરમિયાન મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ સ્પૉટ થઈ હતી. તેમને ફરીથી જોઈને ફેન્સ હવે લગ્નની વાત કરવા લાગ્યા છે. હવે જો આપણે અનિલ કપૂરની વાત પર ધ્યાન આપીએ, તો તેઓ આ તરફ ઈશારો પણ કરી રહ્યા હોય. બીજી તરફ, અર્જુનનું નામ ઇન્ફ્લુએન્સર કુશા કપિલા સાથે પણ ઘણીવાર જોડાઈ ચૂક્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application