વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અંદરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો ગુસ્સામાં છે. આ તસવીરો ટ્રેનના કોચની અંદરની છે, જેમાં જોઈ શકાય છે કે ફર્શ પર માત્ર કચરો જ ફેલાયેલો છે. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર અવનીશ શરણે તસવીર શેર કરી છે. જેમાં ટ્રેનની અંદર ખાલી બોટલો, ફૂડ કેન અને પ્લાસ્ટિકની થેલીઓ છે. એક સ્વચ્છતા કર્મચારી સફાઇ કરી રહ્યો છે તસવીર શેર કરતી વખતે, અવનીશ શરણે ભારતીય બંધારણની પ્રસ્તાવનાના પહેલા ત્રણ શબ્દો લખ્યા છે, 'We the People (India)' એટલે કે 'We, the People of India'. ઘણા લોકોએ એક્સપ્રેસ ટ્રેનની અંદર ગંદકીની આકરી નિંદા કરી છે.
આ તસવીરો પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, “આપણા દેશના લોકો તેમની ફરજો નથી જાણતા પરંતુ તેઓ તેમના અધિકારો જાણે છે. તેના બદલે લોકોએ સ્વચ્છતા પ્રત્યે પોતાના યોગદાન તરફ આગળ વધવું જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું, “અમે વધુ સારી સુવિધાઓ અને સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગણી કરતા રહીએ છીએ પરંતુ આપણા દેશમાં લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી અને તેની કાળજી કેવી રીતે રાખવી તે ખબર નથી.
ઉલ્લેખનીય છે કે વંદે ભારત એક્સપ્રેસને મુખ્ય 'મેક-ઈન-ઈન્ડિયા' પહેલ હેઠળ ચેન્નાઈના પેરામ્બુરમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતીય રેલ્વે આ વર્ષના અંત સુધીમાં 75 વંદે ભારત ટ્રેનો અને આગામી ત્રણ વર્ષમાં 400 ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે. અત્યાર સુધીમાં નાગપુર-બિલાસપુર, દિલ્હી-વારાણસી, ગાંધીનગર-મુંબઈ અને ચેન્નાઈ-મૈસુર સહિતના વિવિધ રૂટ પર વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
ગયા વર્ષે, દેશભરમાં ચાલતી ટ્રેનો પર પથ્થરમારાના 1,500 થી વધુ કેસ નોંધાયા હતા અને 400 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રેલવેએ બુધવારે આ જાણકારી આપી. રેલ્વેએ જણાવ્યું કે પથ્થરમારાને કારણે 'વંદે ભારત' ટ્રેનોને પણ નુકસાન થયું છે. આ મહિનાની શરૂઆતમાં, કાંચારાપાલમ વિસ્તારમાં વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનની ઘણી બારીના કાચ તૂટી ગયા હતા. રેલવેએ કહ્યું કે અન્ય ટ્રેનો પર પથ્થરમારાની ઘણી ઘટનાઓ નોંધાતી નથી. સ્વદેશી નિર્મિત 'વંદે ભારત' પર પથ્થરમારાના કિસ્સાઓ ચર્ચામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech