નવરાત્રી બાદ પરીક્ષા: પ્રાથમિક સ્કૂલની 17મી ઓક્ટોબરથી લેવાશે સત્રાંત પરીક્ષા

  • August 06, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રથમ શૈક્ષણિક સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી શરૂ થશે. શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પ્રાથમિક શાળાઓની સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી લેવાશે જ્યારે બીજી સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા સાત એપ્રિલથી લેવા માટેનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
વર્ષ દરમિયાન લેવાનારી સત્રાંત પરીક્ષા ઉપરાંત મૂલ્યાંકન પરીક્ષા પણ તબક્કાવાર લેવામાં આવશે. પ્રથમ સત્રમાં 10 મી ઓગસ્ટ અને 31મી ઓગસ્ટ એકમ કસોટી લેવાશે આ ઉપરાંત સપ્ટેમ્બરમાં તારીખ 6,14, 21 અને 28 અને ઓક્ટોબર મહિનામાં પાંચ ઓક્ટોબરના રોજ એકમ કસોટી લેવાશે જ્યારે બીજા સત્ર માં21 ડિસેમ્બર અને 4 તેમજ 18 જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં એક અને 15 ફેબ્રુઆરી, જ્યારે પેલી માર્ચ અને 15 માર્કના રોજ આ એકમ કસોટી લેવામાં આવશે.
મૂલ્યાંકન પરીક્ષા માટે શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત ધોરણ મુજબ પ્રશ્ન બેંક ઓનલાઇન પોર્ટલ પર આપવામાં આવશે શાળા શરૂ થવાના સમયના એક કલાક પહેલા આ પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ એ શિક્ષકોને પ્રશ્ન બેંકમાંથી કસોટી પત્ર બનાવવામાં સરળતા રહે શાળાઓની પીડીએફ સાથે વર્ડ કોપી પણ મોકલવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application