ખંભાળિયાની મહાપ્રભુજીની બેઠકમાં ચાલતી ભાગવત સપ્તાહની શનિવારે પૂર્ણાહુતિ

  • December 21, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યમુનાજી જલ પ્રદૂષણ મુક્તિ અંગે સહી ઝુંબેશ હાથ ધરાઈ

ખંભાળિયામાં આવેલી સુવિખ્યાત શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે ગત રવિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે. જાણીતા કથાકાર અમિત ક્રિષ્ના આચાર્ય (બડી બેઠકજી વાલે)ના વ્યાશાસનને ચાલી રહેલી આ ભાગવત સપ્તાહમાં દરરોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ ભાગવત સપ્તાહમાં શ્રી યમુનાજી જલ પ્રદૂષણ મુક્તિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ સપ્તાહ દરમિયાન શ્રોતાઓની વ્યક્તિગત સહી ઝુંબેશ (સિગ્નેચર કેમ્પેનિંગ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર યમુનાજીના જલને પ્રદૂષણથી મુક્તિ થાય મળે અને શુદ્ધિકરણ કરવામાં આવે તે હેતુથી ચાલી રહેલી આ શાંતિમય ચળવળમાં સહભાગી થવા તેમજ શનિવાર તારીખ ૨૩ મી સુધી દરરોજ બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા સેવાકુંજ હવેલીના પૂજ્ય શ્રી માધવી વહુજીની વિશેષ પ્રેરણાથી આયોજકો દ્વારા ધર્મપ્રેમી વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application