વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કર્યો ડેમો

  • June 14, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વાવાઝોડા બિપોરજોયની આગેકૂચને લીધે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 5 દિવસ સુધી ભારે વરસાદ તથા પવનની આગાહી કરવામાં આવી છે. કુલ 8 જિલ્લાના 441 ગામે વાવાઝોડાનો સામનો કરવો પડશે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ સંભવિત જોખમ પણ વધી રહ્યુ છે.


ત્યારે સંભવિત વાવાઝોડાના સંકટ સામે પહોંચી વળવા તંત્રની તૈયારીઓ તેજ બની છે. અસરગ્રસ્ત તમામ 6 જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. વાવાઝોડા સમયે સંપર્ક યથાવત્ રાખવા સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. ભૂજમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સેટેલાઈટ ફોનનો ડેમો કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application