સનાતન ધર્મ V/S સ્વામીનારાયણ સંપ્રદાય : ગણેશ મહોત્સવના વિવાદ મુદ્દે CP બાલાજી મંદિર દોડી આવ્યા, બંધ બારણે સ્વામી સાથે બેઠક

  • September 16, 2023 12:14 PM 

છેલ્લા 13 વર્ષથી રાજકોટના બાલાજી મંદિર ખાતે ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. ત્યારે આ વખતે આયોજકો દ્વારા આયોજન અંગે તૈયારીઓ કરાતાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર કોઠારી સ્વામીએ તે જગ્યા પર રેતી અને કપચી પથરાવી દેતા વિવાદ છેડાયો છે. ગઈકાલે પણ સવારે ગણપતિ મહોત્સવના આયોજકો અને સનાતાનીઓ મંદિરે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો, આ સાથે પોલીસ કમિશનરને પણ આ બાબતની રજુઆત કરવામાં આવી હતી. 


આ સાથે ગત રાતે એકાએક બાલાજી મંદિર ખાતે પોલીસ કમિશનર પણ દોડી ગયા હતા. મંદિરમાં બંધ બારણે સ્વામી વિવેક સાગર કોઠારી સાથે બેઠક કરી હતી. ગણેશ પંડાલ મુદે સનાતન ધર્મ V/S સ્વામીનારાયણ સંપ્રદાય જેવો ઘાટ સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application