સલાયા નગરપાલિકા ભૂગર્ભ ગટર સફાઈ બાબતે સદંતર નિષ્ક્રિય

  • September 12, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક રજૂઆત છતાં પ્રશ્નનો ઉકેલ થતો નથી...


સલાયાના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. કચરાઓ નાં ઢગલાં પડ્યા રહે છે. લતાવસીઓ અનેક રજૂઆત છતાં આં બાબતે નગરપાલિકા યોગ્ય પગલાં લેતી નથી. ગટરોનું પાણી રસ્તા ઉપર ફરી વડે છે.અમુક જગ્યાએ તો એ ગટરનું પાણીમાં સેવાળ થઈ ગયા છે. અને ભયંકર દુર્ગંધ મારતું હોઈ બીમારીઓ ફેલાઈ એવી પરિસ્થિત ઊભી થઈ છે.

સલાયા વોર્ડ નંબર એકમાં નગીના મસ્જિદ પાસે તેમજ માયલા વાસમાં તેમજ સલાયા સફી ઢોરો, તોકલી વારા નાં ઘર સામેની ગલીમાં અનેક જગ્યાએ ગટરના પાણી એક મહિનાથી ભરેલા પડ્યા છે. હાલ ઇદે મિલાદ નાં પવિત્ર તહેવાર ચાલતા હોઈ આં ગટરના પાણી નો નિકાલ થાય એ જરૂરી છે. આ બાબતે સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજી ભાઈ ભૂવા દ્વારા લતાવાસીઓને સાથે રાખી લેખિતમાં અરજી આપેલ છે. હવે તંત્ર આં બાબતે યોગ્ય પગલાં ભરે એવી લોકોની માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application