અગાશી પર સૂકવેલા કપડાં લેવાનું કહી ૧૫ વર્ષની સગીરા લાપતા બની

  • March 18, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે આવેલા લેટમાં રહેતી ૧૫ વર્ષની સગીરા અગાસી પર સૂકવેલા કપડાં લેવા જાઉં છું તેમ કહી નીકળ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ તેની શોધખોળ કરતા કબાટમાંથી તેના કપડા પણ મળ્યા ન હતાં. જેથી આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ઘંટેશ્વર પાસે લેટમાં રહેતા ૪૦ વર્ષીય મહિલાએ આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. ગત તારીખ ૧૫૩ ના સાંજના સમયે મહિલાના માતા તેમના ઘરે આવ્યા હોય તેથી તેઓ તેમની સાથે હતા લેટની અગાસી પર કપડાં સૂકવ્યા હોય જેથી ૧૫ વર્ષની દીકરીએ કહ્યું હતું કે, હું અગાસી પરથી કપડાં લઈને આવું છું. આમ કહી તે અગાસી પર કપડાં લેવા માટે ગઈ હતી પરંતુ થોડીવાર થયા બાદ પણ તે પરત ના ફરતા મહિલાએ ઉપર જઈ જોતા દીકરી કયાં જોવા મળી ન હતી. બાદમાં તેણે પોતાની નાની દીકરીને આ બાબતે વાત કરી હતી પરંતુ દીકરીનો કોઈ પતો લાગ્યો ન હતો.

પતિ કામ પરથી આવ્યા બાદ તેને આ બાબતે વાત કરી હતી બીજા દિવસે ઘરનો સામાન સરખો કરતા હતા ત્યારે દીકરીના કબાટમાંથી તેના કપડા જોવા મળ્યા ન હોય બાદમાં આ બાબતે પોલીસને જાણ કર હતી.જેથી યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application