હાજીપરના પાટિયા પાસે ST બસ અકસ્માતે ખાળીયામાં ખાબકી

  • November 04, 2023 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લના તળાજા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જિલ્લાના તળાજા નજીક આવેલા હાજીપરના પાટિયા પાસે ST નો અકસ્માત થયો હતો. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર તળાજા મહુવા રોડ પર જઈ રહેલી ST બસ અકસ્માતે ખાળીયામાં ખાબકી હતી. આ અકસ્માતની ઘટનામાં અંદાજે 10 થી 15 જેટલાં લોકોને ઇજા પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે 108 ને જાણ કરવામાં આવતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application