રાજકોટ– અમદાવાદ રૂટ ઉપર હવેથી દર કલાકે એસટીની વોલ્વો બસ દોડશે

  • September 16, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા દોઢ વર્ષમાં મતલબ કે ૫૦૦ દિવસમાં નિગમના કાયા કલ્પનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં મુખ્યત્વે મુસાફરલક્ષી સેવાઓને વધુ આધુનિક અને સુવિધાપ્રદ બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત તાજેતરમાં રાયના તમામ ૧૬ ડિવિઝનને નવી વોલ્વો બસની ફાળવણી કરવામાં આવી છે, તેમાં રાજકોટ–અમદાવાદ ટ માટે નવી ચાર વોલ્વો બસ ફાળવાઇ છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે હાલ સુધી રાજકોટ– અમદાવાદ ટ ઉપર કુલ ૨૦ વોલ્વો બસ સેવામાં હતી અને હવે નવી ચાર વોલ્વો બસની ફાળવણી કરાતા કુલ ૨૪ વોલ્વો બસ મુસાફર જનતાની સેવામાં ઉપલબ્ધ થઇ છે. ખાસ કરીને રાજકોટ–અમદાવાદ ટ ઉપર વધુ ટ્રાફિક રહેતો હોય તે ટ ઉપર વધુ માત્રામાં વોલ્વો બસ દોડાવાઇ રહી છે, હવે બસની સંખ્યા વધતા ટિ્રપની સંખ્યા વધારાઇ છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા માટે દર કલાકે એસટીની વોલ્વો મળશે.

રાજકોટ એસટી ડિવિઝનમાં ૨૪ વોલ્વો, એસી, ૨૧ ઇલે.બસ મુસાફરોની સેવામાં
રાજકોટ–અમદાવાદ ઉપરાંત રાજકોટ–ઉના, રાજકોટ–દિવ, રાજકોટ–વડોદરા, રાજકોટ–ભાવનગર સહિતના ટ ઉપર વોલ્વો તેમજ એસી બસ દોડાવાઇ રહી છે. યારે રાજકોટ–જૂનાગઢ, રાજકોટ–મોરબી, રાજકોટ–જામનગર અને રાજકોટથી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના ટ ઉપર ૨૧ ઇલેકિટ્રક બસ દોડાવાઇ રહી છે. આ મુજબ રાજકોટ ડિવિઝનમાં કુલ ૪૫ પ્રીમિયમ બસો મુસાફરોની સેવામાં ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં વધુ નવી બસો ફાળવવામાં આવનાર છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application